સેક્યુલર સરદાર
Click here to visit English Blog on Sardar Patel
સત્ય ને સદંતર વિકૃત રીતે કોઈ રજુ કરે ત્યારે દિલ દુભાયા વગર ન રહે. સરદાર વલ્લભભાઈ પટેલ સર્વોત્તમ સેક્યુલર, અડીખમ રાષ્ટ્ર ભક્ત અને રાષ્ટ્રીયતાના પ્રખર હિમાયતી અને સાચા કોંગ્રેસી હોવા છતાં ફાસ્ટીસ્ટ રાજકારણમાં જયારે સરદારને મુસ્લિમ વિરોધી કે આર.એસ.એસ. તરફી હોવાની ચેષ્ટા કરી છે ત્યારે દરેક સાચા ભારતીયને આ હલકી રાજનીતિ માટે આક્રોશ અને તિરસ્કારની ભાવના થયા વગર રહે નહી. મને લાગે છે કે, સરદાર સાહેબની આ ૫૯મી પુણ્યતિથી છે. સરદારની સાચી પ્રતિમા અને ઈતિહાસને મારા બ્લોગ પર આપ સર્વે સુધી પહોંચાડું તે જ સાચી શ્રદ્ધાંજલિ. ૫૬૫ રજવાડાઓનું વિલીનીકરણ એક રાષ્ટ્રમાં કરનાર અને દેશના હિંદુ મુસ્લિમ કોઈપણ અન્ય ફાસ્ટીસ્ટનો વિરોધ કરીને રાષ્ટ્રની એકતા અને અખંડીતતા માટે સમર્પિત સરદાર વલ્લભભાઈ પટેલની સાચી પ્રતિભા ઇતિહાસમાં કંડારાયેલી છે. સરદાર સાહેબની એ દ્રઢ માન્યતા હતી કે, “ધર્મ કે જાતિને રાજકીય હથિયાર તરીકે વપરાય નહીં.”
મુસ્લિમ વિરોધી સરદાર અથવા હિંદુ રાષ્ટ્રના હિમાયતી સરદાર એ તો ભા.જ.પ.ની માનસિકતાનું કાલ્પનિક તુત છે, ઇતિહાસના સાચા સરદાર નહીં. ખરી વાસ્તવિકતા તો એ છે કે, સરદાર સાહેબે તમામ સંનિષ્ઠ પ્રયત્નો હિંદુ અને મુસ્લિમ નજીક આવે તે માટેના કર્યા હતા. એ સરદાર વલ્લભભાઈ પટેલ જ હતા કે જેમને મુસ્લિમોને અત્યંત મહત્વની જગ્યાએ નિયુક્ત કર્યા હતાં અને મુસ્લિમ પ્રત્યેનો આદર અને પોતાના હૃદયની વિશાળતાનો પરિચય આપ્યો હતો.

ગાંધીજીના મૃત્યુ બાદ ( ૭મી ઓક્ટોબર, ૧૯૫૦) ફતેહ મેદાન, હૈદરાબાદ ખાતે સરદાર સાહેબે આપેલા ઐતિહાસિક પ્રવચનના અંશને આપ જ વાંચો. “દરેક દેશના બનતા દરેક અપકૃત્ય માટે મુસ્લિમોને જવાબદાર ન ગણી શકાય, આપણે એ ન ભુલવું જોઈએ કે ગાંધીજીના મૃત્યુ પછી હર્ષ અને ઉલ્લાહ્સથી નાચનારા હિંદુ જ હતાં.” શું કોઈ મુસ્લિમ વિરોધી જાહેરમાં ક્યારેય આવું બોલે ખરા ?
સરદાર સાહેબે આજ પ્રવચનમાં એક ડગલું આગળ વધીને કહ્યું હતું કે, “કોઈ હિન્દુસ્તાનના જે માત્ર મુસલમાન છે તે માટે તેમને સતત પરેશાન કરતા રહો માત્ર એટલા માટે કે તે મુસલમાન છે તો યાદ રાખજો કે આપણે આ સ્વતંત્રતા માટે યોગ્ય નથી.” શ્રી બી.એમ. બિરલાને તેઓએ લખેલા પત્રોના શબ્દો હતાં કે “આપણે એ ન ભૂલવું જોઈએ કે લઘુમતીની રક્ષા એ આપણી પ્રાથમિક જવાબદારી છે. સત્તા એ ધર્મ, જતી, જ્ઞાતિના ભેદભાવથી પર હોવી જોઈએ.” સરદાર સાહેબને મુસ્લિમ વિરોધી ચિતરનારાઓને ખબર નહિ હોય કે સરદાર સાહેબના આત્મજનોમાં શ્રી ઈમામ સાહેબ બાવરજી અને અબ્બાસ રયબજી હતા. જેમના વિષે સરદાર સાહેબ પોતે કહેતા કે, “આ બન્ને મારા સગા ભાઈઓ સમાન છે.”
દેશના ભાગલા પછી હિંદુ મુસ્લિમ રમખાણોની પરીસ્થીતિમાં ભોપાલ નવાજીની દીકરી પોતાના બીમાર પતિને પટૌડી ગામ ખાતે મળવા જે શકે તે માટે ખાસ વિમાનની વ્યવસ્થા કરી અને સરદાર સાહેબે જાતે જ તેઓને એસ્કોર્ટ કરીને સહી સલામત મિલાપ કરાવ્યો.
આજે યુ.પી.એ. સરકારની વિચારધારા એ છે કે, દેશના વિકાસમાં સૌનું સંયોજિત યોગદાન હોવું જોઈએ. એ જ વિચારધારા હતી સરદાર સાહેબની. દિલ્હીના પ્રથમ ચીફ કમિશ્નરની નિમણુંક યોગ્યતાના આધાર પર શ્રી ખુરશીદ અહેમદ (મુસ્લિમ અધિકારી) ની નિમણુંક કરી. આજ રીતે ઓલ ઇન્ડિયા રેડીયોમાં સરદાર સાહેબના પ્રયત્નોએ ઉર્દૂને મહત્વનું સ્થાન આપ્યું.
જુના સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી યુ.એન. ઢેબરે નોંધેલ કે, સરદાર સાહેબને દેશના ભાગલા પછી હિંદુ મુસ્લિમની એકતા અંગે ચિંતા હતી, માટે કહેતા કે, ભાગલા પછી હિંદુ મુસ્લિમોની વધારે કાળજી લેવી જોઈએ. આપણે ત્યાં નિર્ભયપણે ગાયો પણ ફરી શકતી હોય ત્યાં કોઇપણ દેશવાસીઓએ ચિંતામાં જીવવું પડે તે યોગ્ય નથી.
૧૩મી નવેમ્બર, ૧૯૪૭ માં રાજકોટ ખાતે સરદાર સાહેબ બોલ્યા હતા કે, “મારે કોઈપણ મુસ્લિમો સામે વિરોધ નથી. ભૂતકાળમાં બે દેશની વિચારધારામાં માનનારા મુસ્લિમો પણ જો આજે હિન્દુસ્તાનમાં રહ્યા હોય તો શું ભૂતકાળ ભૂલી ગયો છું, વર્તમાનમાં તો હિંદુ મુસ્લિમ આ દેશના ભાઈઓ – ભાઈઓ છે.
૧૭મી ડીસેમ્બર, ૧૯૪૭માં દિલ્હી ખાતે સરદાર સાહેબના શબ્દો હતા કે, “ભારત એક છે. કોઈ વ્યક્તિ વહેતી નદી કે દરિયાને વિભાજીત કરી શકતો નથી તેમ મુસ્લીમોના મૂળ આ દેશમાં છે અને તેમને જુદા ન પાડી શકાય. ભારત જેટલો મુસલમાનોનો છે તેટલોજ હિન્દુઓનો છે.”
ભા.જ.પ. એવી ભ્રમણા પેદા કરી શકે કે આર.એસ.એસ. ઉપરનો પ્રતિબંધ સરદાર સાહેબે નહેરુના દબાણ નીચે લાદયો હતો. શું કોઈ એ વાત માને ખરું કે લોખંડી પુરુષ કોઈના દબાણ નીચે નિર્ણયો કરે ? સરદાર સાહેબના શબ્દો હતા કે, “કોમી ઝેર પેદા કરવા માટેનું બીજકેન્દ્ર એટલે આર.એસ.એસ.”. ગાંધીજીની હત્યા કરનારી વિચારધારાના હીટ લીસ્ટમાં સરદાર સાહેબ હતા.
ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે, ફેબ્રુઆરી ૧૯૪૯માં સરદાર સાહેબે કહ્યું હતું કે, “હિંદુ રાષ્ટ્ર એ ગાંડપણભર્યો વિચાર છે.”, આમ સરદાર સાહેબ એ ખરા અર્થમાં સેક્યુલર હતાં. રાષ્ટ્રને હિંદુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, શીખ એ કોઈના નામે વિભાજીત કરવાના બદલે એક અખંડ ભારતના શિલ્પી હતાં.
ટૂંકી દ્રષ્ટિના અને ભાગલાવાદી વિચારધારામાં માનનારા અને કોઈ વામણા નેતાઓ પોતાની જાતને છોટે સરદાર કહેવડાવે તે લોકંડી પુરુષનું અપમાન છે.
મારી અપેક્ષા છે કે, લોખંડી પુરુષની સ્વર્ણિમ પ્રતિભા અંગેના અને તેમની વિચારધારાઓ ઉપરની આપની કોમેન્ટ મને જરૂર પ્રાપ્ત થશે.

Monday, 14 December, 2009 at 14:31
Dear shakatisinhji,
aapna vicharo saradar ne sachi anjali saman che, desh same sachi hakikat rajukaravano aapno prayas sanmman purvak aavkaru 6u. saradar aapnu guarav hata, 6e n raheshe , take care
-Prem kandoliya
Journalist,Bhavnagar.
Call 09825414108
Wednesday, 16 December, 2009 at 15:32
Vande Mataram .
Jai Mataji.
Bapu mane nathi lagtu k Sardar saheb ni swarnim pratima mukvi joi k mukva mate kai andolano karva joie. Kem ke Pratima ni sthpna pa6i j bahu badhi muskelio ubhi thati hoi che, jem k pa6i pratima no koi bhag koi pan karan sar tuti jaay to hindu musalmaan k pa6i sawanro-dalito k pa6i BJP-Congress ni Mathakuto chalu tahy jati hoi che, je lamba samye kharab parinamo sarje che.
mate maru to evu maanvu che k Pratima j na rakhjie to bija koi prashno j ubha na thay.
Mara naanaa amtha magaj ma aa vaat ave che.Baki to Pratima sthapase e to chokkas j che kem k e sivay to Rajkaran agal chale k thay em j nathi!!
Naanaa modhe moti vaat thay gai hoi to naanaa bhai ne maaf karjo.
Jai mataji
Vande Mataram
( Aa Vande Mataram koi BJP k RSS nu nai pan Varso thi mara Sharir ma farta Lohi Sathe Bhalelo Ek Shabda che. Je yathayogya samajava Vinanti.)
Monday, 5 July, 2010 at 16:35
jaymatajini
shaktisinh
after reading and visit your blog now i have to write first of all “SHAKTISINH EK SACHU SONU CHHE” sona ne kayrey kat nathi lagto when you have resign from chimanbhai ministry i was very young and befor join politicks and jounalism at that time i have read in news paper that you have resign for to established medical collage in bhavnagar realy you are a strong and dynamick leader in the experince of my 15 year with politician as a press jounalit i have seen only three to for leader in congress after you arjunbhai and jagdishbhai thakor i have never seen a strong ledear like you in the your party i cant any suggestion but if congress has given a chance to young jounration between 18year to 45 year and may be retierd old congress worker this is my opiniyan today publick trusted in young leader like a RAHUL GANDHI PRIYNKA GANDHI if in future your party will promet a PRIYNKA GANDHI as a PM of india under the ledearship of her your party will rulling at least 25 year on india stiil lote of poor and helepless peopil belive in congress party but in gujarat congress have to develope more and more young leadear like you in every district
Friday, 27 August, 2010 at 20:52
sir ji
i agree on u
thanks
your best friend
indian
Sunday, 29 August, 2010 at 3:58
after reading and visit your blog now i have to write not only on this point but i want to write on development of congress party in Gujarat.
what ever you said in your blog which should published/released/highlight in front of public that not use internet.
BJP and Modi played badly against emotion and feeling of innocent people to get victory in that election but if you gude us than we are ready to highlight in front of people.
Thursday, 17 March, 2011 at 21:04
jay mataji
saheb…
aapna blog ma thi je shiksha main lidhi chey te bija anay vyakti o ne aapish,shri sardar patel je vicharta hata te aa desh ane deshvasi o mate hamesha saru j hatu,aaj na aa vatavaran ma tamari vaat a ketlay yuvano mate ek chokkas prerna bani rahi chey,tamari j pase thi khub shikhi rahyo chu ane bjp dwara je loko na mann ma khoti ane bramak vato nakhva ma aave chey tene aam j dur karta rehjo.tamra prayatno sahraniy chey,i m proud of u sir
Hitesh sosa
gen.sec(N.S.U.I)
SURAT DISTRICT.
Monday, 24 October, 2011 at 5:14
shri shakatisinhji,
Monday, 24 October, 2011 at 5:36
Dear shakatisinhji,
sardar ne sachi srdhanjali aa 6e
MUTU PUTALU MUKVU A NAHI