Author: Shaktisinh Gohil

  • Press Note Guj Dt: 17/06/2017 Narmada

    Click here to view/download press note

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                       તા. ૧૭.૦૬.૨૦૧૭   

               નર્મદા યોજના દરવાજા બંધ કરવાના કામમાં ત્રણ વર્ષનો સમય લગાડનાર ભાજપ લાજવાના બદલે ગાજી રહ્યું છે. નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી છે. કોંગ્રેસ પક્ષ દ્રારા નર્મદા યોજનામાં ક્યારેય રાજકારણ કરવામાં આવેલ નથી. આજે નર્મદા યોજનાના દરવાજા બંધ થયા છે તેનો સાચો યશ પરિઆવરણની મંજુરી આપનાર સ્વ. રાજીવ ગાંધી, ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ સાથ અને મહારાષ્ટ્રની કોંગ્રેસ સરકારે વિસ્થાપિતો માટે જમીન આપી તેને છે.

           નર્મદાના ઘસમસતા પૂરમાં ડેમના સ્લુઈજ ગેઇટ બંધ કરવાનું કામ કોંગ્રેસની સરકારે માત્ર ગણતરીના દિવસોમાં જ પૂર્ણ કરી દીધું હતું જયારે ભાજપની સરકારને નર્મદા કંટ્રોલ ઓથોરીટીએ દરવાજાનું કામ કરવાની મંજુરી  તા. ૧૨/૦૬/૨૦૧૪ આપી હતી અને કામ પૂરૂ કરતા ત્રણ વર્ષ લગાડ્યા તે ગુન્હાહિત બેદરકારી છે. આ અક્ષમ્ય વિલંબ માટે ગુજરાતની જનતાની ભાજપ સરકારે માફી માંગવી જોઈએ. શું ૨૦૧૭માં ચૂંટણી આવે ત્યારે રાજકીય લાભ લઈ શકાય તે માટે ત્રણ વર્ષ લગાડ્યા?

           નર્મદાના દરવાજા બંધ કરવા માટે જે વિસ્થાપિતોને ખસેડવાના હતા તેઓ મહારાષ્ટ્રમાં જમીન મળે તો જ ખસવા તૈયાર હતા. જે તે સમયે ગુજરાત કોંગ્રેસના આગેવાનોની વિનંતીથી મહારાષ્ટ્રના જે તે વખતના મુખ્યમંત્રી શ્રી પૃથ્વીરાજ ચૌહાણે મહારાષ્ટ્રમાં જમીન આપવાનો નિર્ણય કર્યો તેથી જ કામ આગળ વધી શક્યું.

           ગુજરાત સરકારના જ આ વર્ષના સામાજીક આર્થિક સમીક્ષાના પાના નં-૧૪ ઉપર સરકારે જ સ્પષ્ટ લખેલ છે કે નર્મદા યોજનાની સિંચાઈ ક્ષમતા૧૭.૯૨ લાખ હેક્ટર  છે પરંતુ અત્યાર સુધીમાં ખરેખર સિંચાઈ માટે માત્ર ૫.૦૯ લાખ હેક્ટર જ પાણી પહોંચાડી શકાયું છે. આ માટેનું કારણ એ છે કે છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તને હજુ સુધી ૩૮૦૦૦ કી.મી. ની કેનાલનું કામ કર્યુ જ નથી. કેનાલની શાખાઓ, પ્રશાખાઓ અને માઈનોરના કામો ન થવાથી ખેડૂતોને પાણી મળતું નથી. નર્મદા ડેમમાં હાલ જે પાણી ઉપલબ્ધ થાય છે તે કેનાલો ન હોવાના કારણે દરિયામાં જાય છે ત્યારે દરવાજાના નાટકો અને ઉત્સવોના બદલે ભાજપ સરકાર કેનાલનું કામ પૂર્ણ કરે.

           ભરૂચ પાસે ડેમના હેઠવાસમાં ગરુડેશ્વર વિયર બનાવવાનો હતો આ કામ માટે કોઈની પણ મંજુરી જરૂરી ન હતી. આમ છતાં ગરુડેશ્વર વિયરનું કામ થયું નથી પરિણામે ભરૂચ અને નીચાણના આદિવાસી વિસ્તારોને નર્મદાના લાભથી વંચિત રહેવું પડેલ છે.

           ભાજપની સરકારમાં ચાલતા ભ્રષ્ટ્રાચારના કારણે સમગ્ર યોજનાનો ૨૦૧૪-૧૫ ની ભાવ સપાટીએ રૂ. ૫૪૭૭૨.૯૩ કરોડ અંદાજ હતો તેના સામે ઓક્ટોબર ૨૦૧૬ સુધીમાં રૂપિયા ૫૬૨૮૬.૧૨ કરોડ ખર્ચાઈ ગયા છતાં કેનાલોના કામ બાકી છે અને જે કેનાલો બની છે તે અત્યંત નબળી છે. વારંવાર તૂટે છે સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર કરવા માટે      સ્વ. રાજીવ ગાંધીએ તમામ અધિકારીઓના અભિપ્રાયથી વિરુધ્ધ જઈને સરદાર સરોવર યોજનાને મંજુરી આપી હતી.

    —————————————————————————————————–

     

     

  • Press Note Guj. Dt: 30.05.2017 ભાજપના નેતાઓ કહે છે કે બીફ સસ્તું મળવું જોઈએ અને સારી ક્વોલિટીનું મળવું જોઈએ.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                             તા. ૩૦/૦૫/૨૦૧૭   

        

                કેન્દ્રની અને રાજ્યની ભાજપની સરકાર સંપૂર્ણ પણે નિષ્ફળ ગઈ છે ત્યારે ગાય માતાને નામે રાજનીતિ  કરીને સમાજને ગુમરાહ કરવા નીકળેલ છે. શાસ્ત્રો એમ કહે છે કે ગાયના મોઢાનું તણખલું પણ ન  ખપે તો પછી છેલ્લા ૨૨ વર્ષમાં ભાજપની સરકારે હજારો હેક્ટર ગૌચરની જગ્યાઓ ભ્રષ્ટ્રાચારીઓને કેમ આપી?  ગૌચર ભાજપે ન રહેવા દીધું તેથી ગાય પ્લાસ્ટિકની કોથળીઓ ખાવા મજબુર બને છે અને રીબાઈ રીબાઈને મરે છે. કેરળની ઘટના સામે આવતા જ કોંગ્રેસ મોવડી મંડળે કહેવાતા યુવક કોંગ્રેસના લોકોને પક્ષમાંથી હાંકી કાઢ્યા એટલું જ નહી જવાબદાર સામે કડક માં કડક પગલાં લેવા માંગણી કરી છે. જ્યારે એજ કેરલમાં તાજેતરમાં લોકસભાની પેટાચૂંટણી યોજાય હતી તેમાં ભાજપના ઉમેદવાર શ્રીપ્રકાશે પોતાનાં પ્રવચનમાં તેમજ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જો તેઓ ચુંટાશે તો પોતાના મતવિસ્તારમાં સારી ક્વોલિટીનું બીફ મળે તેનો પ્રબંધ કરશે ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે બીફ (ગાય) ના કતલખાના બંધ કરવાનું કામ કોંગ્રેસ સરકારોએ કર્યું છે. જેનો તેઓ વિરોધ કરે છે. ભાજપના નેતાના ઉપરોક્ત વચનોના પુરાવા માટે લીંક પર ક્લિક કરો.  http://indianexpress.com/article/india/vote-for-me-i-will-ensure-good-beef-bjp-candidate-in-kerala-byelection-sreeprakash-malappuram-4596099.  ભાજપના આ નેતા સામે ભાજપના તરફથી કોઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી.

            ગઈ કાલે મેઘાલયના ભાજપ સરકારના મિનિસ્ટર બર્નાડ મારકે જાહેરાત કરી છે કે મેઘાલયમાં બીફ સસ્તા દરે મળી રહે તેની સરકાર વ્યવસ્થા કરશે. ભાજપના આ મંત્રીના નિવેદનના પુરાવા માટે લીંક ક્લિક કરો. https://www.nationalheraldindia.com/national/2017/05/29/in-shillong-bharatiya-janata-party-promises-to-lower-price-of-beef

            ભાજપના કેન્દ્રીય મંત્રી રીજ્જુએ કહ્યું હતું કે હું બીફ ખાઉં છુ. હું અરુણાચલનો છુ. કોણ મને રોકી શકે? કોઈના પણ રીવાજ સાથે છેડછાડ ન  કરવી જોઈએ. ભાજપના આ મંત્રીના નિવેદનના પુરાવા માટે લીંક પર ક્લિક કરો. http://www.hindustantimes.com/india/bjp-leaders-in-northeast-support-rijiju-over-beef-remark-slam-naqvi/story-W6LtYFt8GO6xFxYsJE6tIJ.html ભાજપના આ રીજ્જુ આજે પણ મિનિસ્ટર છે.

            ગુજરાતના મુખ્યમંત્રીએ કરેલ સવાલનો જવાબ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસે તો કેરાલાના કહેવાતા કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે અને કડકમાં કડક સજાની માંગ કરી છે. પરંતુ ભાજપના નેતાઓ ગૌમાંસની વકીલાત કરે છે તેના સામે શું?  વધુમાં શક્તિસિંહે જણાવ્યું હતું કે ગાયો માટે અમારા પૂર્વજ શહીદ થયા છે. અમે ગાય કે અમારી માતાનો રાજકારણ માટે ઉપયોગ કરતા નથી અમે તેની સેવા અને પૂજા કરીએ છીએ.

    ——————————————————————————————————

     

    Click here to view/download the Press Note. 

     

  • Press Note Guj. Dt: 29.05.2017 તંત્રની ઘોર બેદરકારીના કારણે કચ્છને પાણીની સમસ્યા

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                                   તા. ૨૭.૦૫.૨૦૧૭

                    કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસા વિધાનસભાના ધારાસભ્યશ્રી શક્તિસિંહજી ગોહિલે      માન. મુખ્યમંત્રીશ્રીને જણાવેલ છે કે સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે કચ્છમાં પાણીની સમસ્યા પેદા થઈ રહી છે. આ અંગે આગાઉ  વિધાનસભાના સત્ર દરમ્યાન રજુઆત કરી હતી તેમજ પાણી પુરવઠા મંત્રીશ્રી સાથેની પાણીના પ્રશ્નો અંગેની મીટીંગમાં પણ પ્રશ્ન ઉઠાવેલ હતો કે કચ્છ જીલ્લામાં જે જે જગ્યાએ પાણી પૂરું પાડવાના પમ્પીંગ સ્ટેશનો આવેલા છે ત્યાં અવિરત વીજ પુરવઠો જળવાઈ રહેવો જોઈએ જેથી કરીને દુર્ગમ વિસ્તારોમાં પાણી પહોંચી શકે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છ જીલ્લાના પાણી પૂરું પાડતા પમ્પીંગ સ્ટેશનો પર વીજ પુરવઠો જાળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે ખાસ કરીને અબડાસા તથા લખપત તાલુકાને ખીરસરા તેમજ સુખપર પોઈન્ટ પરથી પમ્પીંગ કરીને પાઈપલાઈનમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ખુબ લાંબા વિસ્તારની આ પાઈપલાઈનોમાં જો એક વખત એક કલાક પણ વીજળી બંધ થાય તો પાઈપલાઈનો ખાલી થઈ જાય છે અને તેને ફરી ભરવા માટે ઓછામાં ઓછા ચાર થી છ કલાકનો સમય જાય છે. તેમજ એક વખત ખાલી થયેલી પાઈપલાઈનોમાં ફરી પાણી નાંખવામાં આવે છે ત્યારે પાઇપલાઈનોમાં એર આવી જવાના કારણે આગળ પાણી પહોચાડવામાં અનેક સમસ્યાઓ થાય છે. અમારી વારંવાર માંગણી છતાં પાણી પુરુ પાડતા પમ્પીંગ સ્ટેશનો પરની વીજ સપ્લાય અવિરત જળવાતો નથી જે  દુઃખદ છે. છેલ્લા થોડા દિવસોમાં પમ્પીંગ સ્ટેશનો પર જે વીજપુરવઠો ખોરવાયો છે તેની તારીખ તથા તેનો સમય આ સાથે નમુના રૂપ હકીકત જણાવી રહ્યો છુ.

    ખીરસરા પમ્પીંગ સ્ટેશન પર ખોરવાયેલા વીજપુરવઠાની  તારીખ  અને સમય

    તારીખ સમય
    ૦૬/૦૫/૨૦૧૭ ૦૯:૧૫ થી ૧૦:૧૫
    ૦૭/૦૫/૨૦૧૭ ૧૦:૪૦ થી ૧૧:૩૦
    ૦૯/૦૫/૨૦૧૭ ૧૫:૨૦ થી ૧૬:૨૦
    ૧૪/૦૫/૨૦૧૭ ૧૭:૩૦ થી ૨૦:૩૦

     

    સુખપર પમ્પીંગ સ્ટેશન પર ખોરવાયેલા વીજપુરવઠોની  તારીખ  અને સમય

    તારીખ સમય
    ૧૭/૦૫/૨૦૧૭ ૦૯:૫૫ થી ૧૦:૨૦
    ૧૮/૦૫/૨૦૧૭ ૧૧:૨૦ થી ૧૨:૪૦
    ૨૨/૦૫/૨૦૧૭ ૧૭:૧૫ થી ૧૮:૩૦
    ૨૩/૦૫/૨૦૧૭ ૦૯:૦૦ થી ૧૬:૩૦
    ૨૪/૦૫/૨૦૧૭ ૦૯:૪૫ થી ૧૦:૧૫

             ઉપરોક્ત પરિસ્થિતિથી સમજી શકશો કે વિસ્તારમાં  કેટલી મુશ્કેલીઓનું સર્જન થયુ હશે. અબડાસા અને લખપતના છેવાડાના ગામડાઓમાં સતત પાણી પહોચાડવા માટે પાઈપલાઈનમાં સતત છ કલાક સુધી અવિરત પાણી સપ્લાય ચાલુ રહે ત્યારે જ બીજા છેડે પાઈપલાઈનમાં પાણી પહોચતું હોય છે. એક વખત જો અડધી કલાક માટે પણ પમ્પીંગ બંધ થાય તો બધીજ લાઈનો ખાલી થઈ જતી હોય છે અને તેને પુનઃ ભરવા માટે ચાર થી છ કલાકનો સમય  જતો રહેતો હોય છે. માટે ખીરસરા તથા સુખપર પમ્પીંગ સ્ટેશનો તેમજ કચ્છ જીલ્લામાં પાણી પૂરું પાડવા માટે જે પમ્પીંગ સ્ટેશનો છે તે તમામ પમ્પીંગ સ્ટેશનો પર અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા માન. મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરેલ છે.

    ————————————————————————————————-

     

     

    Click here to view/download the Press Note.