Press Note Guj Dt : 23/09/2012 K LAL
Click here to view / download press note.
વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર
અખબારી યાદી તા. ર૩-૦૯-ર૦૧ર
વિશ્વ વિખ્યાત જાદુગર શ્રી કે.લાલનું અવસાન થતાં વિરોધપક્ષના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે નિર્ધારિત પ્રવાસ કાર્યક્રમમાં ફેરફાર કરીને સ્વ. કે.લાલના નિવાસ સ્થાને જઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સૌરાષ્ટ્રના એક નાના નગરમાં જન્મ લઈને સ્વ. કે.લાલે પોતાની કલાના માધ્યમથી સમગ્ર વિશ્વમાં ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું હતું. ૮૮ વર્ષની મોટી ઉમરે પણ સ્ટેજ ઉપર સતત એક કલાકાર તરીકે આજીવન કલાની સાધના શ્રી કે.લાલે કરી હતી.પોતાના સ્ટેજ પર જાદુના પ્રયોગોની સાથે મહાત્મા ગાંધીજીની કૃતિ રજુ કરીને સત્ય અને અહિંસાનો સંદેશો સ્વ. કે.લાલ આપતા હતાં.
મહાન વ્યક્તિઓ હંમેશા વિનમ્ર અને માયાળું હોય છે, તે વાતની ઉત્તમ પ્રતીતિ સ્વ. કે. લાલના જીવનમાં સતત અનુભવી શકાતી હતી. સ્વ. કે.લાલને વિરોધપક્ષ ના નેતાશ્રી શક્તિસિંહ ગોહિલે પોતાના તરફથી તેમજ સમગ્ર કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
——————————————————————————————————-
Dipak
September 24, 2012 at 5:30 amHad seen Mr. K. Lal’s magic in late fifties when he had just started off his shows. A wonderful man entertaining everybody who came to watch his shows. Our deepest condolences to his family and may god rests his soul in an eternal peace
Dog Yoga
September 29, 2012 at 4:27 amI look forward to reading more of your articles and posts in the future, so I’ve bookmarked your blog. When I see good quality content, I like to share it with others. So I’ve created a backlink to your site. Thank you!…
Welcome to my blog http://www.about-dogs.zoomshare.com.