Author: Shaktisinh Gohil

  • Press Note Eng DT: 22/10/2016

    Click here to view/download press note

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

       

    Press Note                                                                                                                    22/10/2016

                 Prime Minister Narendra Modi has not made any statement about his approach towards Pakistan even as film personalities like Karan Johar have announced that they would not engage any Pakistani artist. Pointing this out, national spokesperson of Congress and party MLA from Abdasa, Shaktisinh Gohil said that Modi has not said that he would not invite Prime Minister of Pakistan as he had invited Primed Minister of Pakistan in his swearing in cxeremony without any such protocol. Modi has not said that he would not visit Pakistan and hug Prime Minister as he did in the past. He would not invite Joint Investigation team of Pakistan, would not present shawl to the daughter of Pak PM and return sari and would not exchange mangoes with his Pakistan counterpart. He should come out with unequivocal statement that he would not repeat any misadventure with Pakistan and would not insult Indian Army by making political statements undermining the forces. He said that all including President and vice President of the Congress were proud of our defence forces. None has doubted surgical strikes by the Army.

                As pointed out by General Bikram Singh Army had surgical strikes in the past also. In view of this, is it not an insult of Indian Army when BJP President and Defence Minister said that there were no surgical strikes in the past? Will Prime Minister ask these leaders to apologise to General Bikram Singh and Army for making such statement? Is it not insult of Army to say that surgical strikes were because of RSS training?

                Prime Minister has visited 44 countries in two years and four months. But now he is making frequent visits to Gujarat. This is just because BJP was routed in civic elections and Assembly elections were approaching. BJP’s defeat is written on wall. This is just an election stunt. He should work for the interest of people of Gujarat who voted him to power. Gujarat was benefitted a lot by the centre on issues ranging from health to MNREGA and Kerosene to agriculture produce when UPA was in power. But now there is lot of injustice to Gujarat during BJP rule. Gohil demanded that Modi should declare the list of issues pending with centre. He said that Modi used to make political statement about pending issues, but he has not solved even a single issue.

    ———————————————————————————————————————–

     

  • Press Note Guj Dt: 22/10/2016

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                                     તા. ૨૨/૧૦/૨૦૧૬

    કરણ જોહરે તો જાહેર કર્યું કે તેઓ પાકિસ્તાની કલાકારોને હવે પછી તેમની ફિલ્મોમાં લેશે નહિ. પરંતુ વડાપ્રધાનશ્રીએ હજુ સુધી જાહેરાત કરી નથી કે પાકિસ્તાનના વડાપ્રધાનને કોઈ પણ પ્રણાલિકા ન હોવા છતાં પોતાની સોગંદ વિધિમાં બોલાવ્યા હતા તે રીતે હવે પછી કોઈ પણ કાર્યક્રમમાં દેશમાં બોલાવશે નહિ. આપણા વડાપ્રધાનશ્રી અચાનક પાકિસ્તાન પહોચી જઈને પાકિસ્તાનના વડાપ્રધાનને ગળે મળશે નહિ. આપણા દેશમાં થયેલા હુમલા માટે પાકિસ્તાનની જોઈન્ટ ઇન્વેસ્ટીગેશન કમિટીને બોલાવશે નહિ. પાકિસ્તાનના વડાની દીકરીને શાલ મોકલશે નહિ અને ત્યાંથી આવેલી સાડી પરત મોકલી દેશે. કેરીઓની આપ લે પાકિસ્તાનના વડા સાથે નહિ કરે.
    આપણા સૈન્યના ઉપર આપણને બધાને ગર્વ છે. સર્જીકલ સ્ટ્રાઈક બાબતે કોંગ્રેસના અધ્યક્ષા, ઉપાધ્યક્ષ કોઈ સીનીયર નેતા કે પ્રવક્તાએ સહેજ પણ શંકા વ્યક્ત કરી નથી પરંતુ જનરલ બિક્રમસિંગ કે જેઓ આપડી સેનાના બહાદુર જનરલ છે. તેઓ એ કહ્યું કે ભૂતકાળમાં આવી સર્જીકલ સ્ટ્રાઈક થઇ છે. આ પેહલી વાર નથી. આ પછી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને રક્ષા મંત્રી એમ કહે કે ભૂતકાળમાં સર્જીકલ સ્ટ્રાઈક ક્યારેય પણ થઇ નથી. તો તે શું સૈન્યનું અપમાન નથી? શું વડાપ્રધાન આવા નિવેદનો કરનારને સૈન્યના પૂર્વ વડા જનરલ બિક્રમસિંગની અને સેનાની માફી માંગવા કહેશે ખરા? સૈન્યની બહાદુરીને સલામ કરવાના બદલે RSSની ટ્રેનીંગના કારણે આમ થયું છે તેમ કહેવું એ સેનાનું અપમાન નથી?
    બે વર્ષ અને ચાર મહિના સુધીમાં ચુમાલીસ (૪૪) દેશોમાં વડાપ્રધાનશ્રી ફરતા રહ્યા પરંતુ ગુજરાત યાદ આવ્યું ન હતું. જ્યારે ગુજરાતની ચુંટણીઓ નજીક આવી અને સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભાજપનો સફાયો ગુજરાતને જનતા એ કરી નાખ્યો ત્યારે હવે ભાજપની સરકાર ગુજરાતમાં જશે તેના ડરથી વારંવાર ગુજરાત આવતા વડાપ્રધાનશ્રી માત્ર ચુંટણી માટેના સ્ટંટ નહિ પરંતુ જે ગુજરાતની જનતા એ તેમના માં વિશ્વાસ મુક્યો હતો તેમના હિતમાં કામ કરે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે આરોગ્યથી લઈને મનરેગા અને કેરોસીન થી લઈને ખેડૂતોની ખેત પેદાશમાં ગુજરાતને જે કઈ લાભ થતો હતો તેમાં ઘોર અન્યાય કેન્દ્રમાં ભાજપની સરકાર આવવા થી થયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે વડાપ્રધાનશ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કેન્દ્રમાં ગુજરાતના પડતર પ્રશ્નો માટે તેઓ એ જે રજૂઆત કરી હતી તેને જાહેર કરે. ગુજરાતના પડતર પ્રશ્નો માટે સતત રાજકીય નિવેદન કરતા હતા તે પૈકી એક પણ પ્રશ્ન વડાપ્રધાનશ્રી બન્યા પછી તેઓએ ઉકેલ્યો નથી.

    —————————————————————————————

  • Press Note Guj Dt:- 23/09/2016 મુખ્યમંત્રીના ટ્વીટર ટાઉનહોલના નિષ્ફળ નાટક સામે જનતાનો હોબાળો

    Click here to view/download press note

     

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારી યાદી                                                     તા. ૨૩.૦૯.૨૦૧૬  

                ગુજરાતના  મચાવ્યો છે. ભાજપના ભ્રષ્ટ શાસનથી ગુજરાતની જનતા ત્રસ્ત થઇ ગયેલ છે. ભાજપના નેતા કે મુખ્યમંત્રી સન્માન સમારંભમાં પણ જાય તો ખુરશીઓ ઉડે છે માટે સમસ્યા લોકોની વચ્ચે જઈને સાંભળવાની મુખ્યમંત્રીશ્રીની હિંમત રહી નથી તેથી ટ્વીટર  ટાઉનહોલનું નાટક જાહેર કર્યું હતું. પરંતુ ટ્વીટર પર જનતા એવી તૂટી પડી કે મુખ્યમંત્રીશ્રી એક પણ સવાલનો જવાબ ટ્વીટર ઉપર આપી શક્યા નથી. મીડિયા પાર્ટનર સાથે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ ટ્વીટર ટાઉનહોલ લાઇવ કરવાનું પણ માંડી વાળેલ છે. જાહેરાત એવી કરી હતી કે ટ્વીટર પર #AskVijayRupani હેશ ટેગ થી જે પ્રશ્ન પૂછશે તેના જવાબ મુખ્યમંત્રી તા. ૨૩/૦૯/૨૦૧૬ને સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ ટ્વીટર ટાઉનહોલમાં લાઈવ આપશે. પરંતુ મુખ્યમંત્રીના ટ્વીટર હેન્ડલ પર એક પણ પ્રશ્નનો જવાબ આ સમયમાં કોઈપણ ને આપવામાં આવેલ નથી. આથી પ્રશ્ન પૂછનારા હજારો લોકોએ હોબાળો મચાવવો પડેલ છે.

           મીડીયાને પ્રતિક્રિયા આપવા મુખ્યમંત્રીએ કહ્યું કે મેં રેન્ડમ પ્રશ્નોને લીધા છે તેના જવાબ આપ્યા છે. પરંતુ એક પણ જવાબ તેમના ટ્વીટર હેન્ડલ પર નથી. બાકીના પ્રશ્નોના જવાબ વિભાગ આપી દેશે તેમ મુખ્યમંત્રીએ કહેલ છે. જો વિભાગો પ્રશ્નો ઉકેલતા હોય તો પછી મુખ્યમંત્રીશ્રી એ ટ્વીટર પ્રશ્નો મંગાવવાની શું જરૂર હતી? હકીકતમાં પોતાની વાત લોકોની વચ્ચે જઈ ને કરી શકે તેવી ભાજપની સ્થિતિ નથી માટે પોતાની પ્રસિધ્ધિ માટે પોતાના સ્પોન્સર કરેલા પ્રશ્નો સિલેક્ટ કરીને તેને લાઈવ કરવાનું આયોજન હતું પરંતુ તે દાવ પણ ઉંધો પડ્યો છે. મીડિયા પાર્ટનર ચેનેલને પણ ૧૦:૩૦ થી ૧૧:૩૦ લાઈવ કરવા દેવાનું રોકાવી દેવુ પડ્યું અને હવે એડીટીંગ કરીને દર્શાવાશે.

           વડોદરાના દેવ પટેલે પૂછ્યું હતુ કે ખુલ્લે  આમ ચર્ચાય છે કે દારૂના અડ્ડાના પૈસાનો હપ્તો મુખ્યમંત્રી સુધી જાય છે તો શું આ વાત ખરી છે? પોલીસ પીધેલા છે કેમ તેની ચકાસણી કેમ નથી થતી? આ પશ્નનો જવાબ મુખ્યમંત્રીએ આપેલ નથી.

           આજ રીતે ગુજરાતની જનતાના નીચે મુજબના પ્રશ્નો હતા

           બંધારણીય સિધ્ધાંત છે “સમાન કામ – સમાન વેતન” આમ છતાં ગુજરાતના યુવાનોને ફિક્સ પગાર અપાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્રારા સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે. તેમને પુરતો પગાર આપવો જોઈએ અને સમાન કામ સમાન વેતન સિધ્ધાંત નું પાલન થવું જોઈએ. આ ચુકાદાનો અમલ કરવાના બદલે ગુજરાતની ભાજપ સરકારે સુપ્રીમકોર્ટે માં અપીલ કરીને ગુજરાતના યુવાનોનું શોષણ ચાલુ રાખેલ છે. સુપ્રીમમાંથી અપીલ પાછી ખેંચવા અને હાઇકોર્ટના ચુકાદાનું પાલન કરવા માંગો છો?

           ગુજરાતમાં ભાજપની સરકાર આઉટસોર્સિંગના નામે પણ યુવાનોનું શોષણ કરે છે. વચેટિયા એજન્સીઓ મલાઈ ખાય જાય છે અને ગુજરાતના યુવાનોને નજીવો પગાર મળે છે. આઉટસોર્સિંગના કારણે દલિત, આદિવાસી તથા બક્ષીપંચના યુવાનોને મહતમ નુકશાન થાય છે તેનું શું?

           ભાજપના હાલના વડાપ્રધાન ચૂંટણી દરમ્યાન કહેતા હતા કે, ગુજરાત પાસે સરપ્લસ (વધારાની) વીજળી છે અને પાકિસ્તાનને પણ આપી શકું તેમ છું તો પછી ગુજરાતના ખેડૂતોને દિવસે કેમ પુરતી વીજળી મળતી નથી? જો પાકિસ્તાનને આપી શકાય તેટલી વધારાની વીજળી છે તો ખેડૂતો ને ૨૪ કલાક વીજળી કેમ નથી આપતા?

           સરકારી નોકરીઓમાં અનેક જગ્યાઓ ખાલી છે, ભરતી થોડી જ થાય છે અને તેમાં પણ લાખો રૂપિયા લેવાય છે આમ કેમ?

           કચ્છને ૧ મિલિયન એકર ફીટ વધારાનું નર્મદાનું પાણી આપવાનું સ્વિકારેલ છે છતાં ૨૨ વર્ષથી સત્તામાં રહેલી ભાજપની સરકારે કચ્છ માટે સહેજ કામ કેમ નથી કર્યું? કચ્છને અન્યાય શા માટે?

           સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ તથા ૮૭ નદીઓ જુન ૨૦૧૬માં નર્મદાથી જોડાઈ જશે તેવી  જાહેરાત હાલના વડાપ્રધાને ૨૦૧૨માં કરી હતી તો માત્ર ૩ જ ડેમમાં કેમ પાણી આવ્યું? આ રીતે કામ થાય તો સૌરાષ્ટ્રના ડેમો પચાસ વર્ષે પણ ન જોડાય એમ કેમ?

           ભાવનગરની માલેશ્રી નદી જેવી અનેક નદીઓમાંથી નર્મદાના પાણીની લાઈન નીકળે છે તો તેના વાલ્વ ખોલીને નદીઓ અને ચેકડેમોમાં કેમ પાણી નથી ભરવામાં આવતું?

           દલિત, જમીન વિહોણા તથા ગરીબ ને મળતી સાંથણીની ખેતી માટેની જમીન ભાજપ સરકારે કેમ બંધ કરી છે?

           શહેરોમાં મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ કોંગ્રેસ સરકાર મફત કે નજીવી ફીમાં આપતી તો હવે શિક્ષણ મોંઘુદાટ કેમ?

           ગુજરાતમાં વીજળી, પેટ્રોલ, ડીઝલ સૌથી મોંઘુ અને વેટનો દર પણ દેશમાં સૌથી વધારે છે તેથી મધ્યમ વર્ગ મોંઘવારીથી પીસાય છે અને ભાજપ સત્તાની સાંઠમારીમાં મસ્ત છે એમ કેમ?

           ડેન્ગુ, મેલેરિયા, વાયરલ વિગેરેથી અતિશય ભયંકર રોગચાળાથી ગુજરાત ઘેરાયેલું છે તે અંગે તમારે શું કહેવું છે?

           અમદાવાદ કોર્પોરેશન સફાઈ કામદારોને નજીવી રોજમદારની રકમ આપે છે તેમને કાયમી ક્યારે કરશો?

           પાટીદારો ઉપર અત્યાચાર કરનાર સામે પગલા ક્યારે ભરશો?

           થાનગઢના દલિતો પર થયેલ અત્યાચારનો અહેવાલ કેમ વિધાનસભામાં રજુ કરતા નથી?

           લઠ્ઠાકાંડથી અનેક આદિવાસીના મૃત્યુ છતાં તમારા પ્રધાને બુટલેગરોને મદદ થાય તેવું નિવેદન કેમ કર્યું?

           કેન્દ્રીય કાયદાથી અલાયદી અદાલતો એસ.સી. અને એસ.ટી. ના કેસો માટે કરવાની હતી તે હજુ સુધી કેમ નથી થઈ?

                હાલના વડાપ્રધાન કહેતા હતા કે દેશના એક સિપાઈના માથા સામે દસ પાકિસ્તાની સિપાઈના માથા લાવીશ. તો તે ક્યારે લાવશે?

           દેશના જવાનો શહીદ થતા હતા છતા નવાઝ શરીફને ગળે મળવા મોદી પાકિસ્તાન કેમ ગયા?

           સરકારમાં તમે અમિત શાહના ડ્રાઈવર છો?

           ૫૬ ઇંચની છાતી પાકિસ્તાનને તેની ભાષામાં કયારે જવાબ આપશે?

           આવા જનતાના કોઈ પણ પ્રશ્નનો જવાબ મુખ્યમંત્રીએ આપેલ નથી.

           મુખ્યમંત્રીએ પાંચ વર્ષ પછી ફિક્સ પગારના કર્મચારીને તરત કાયમી બનાવવાની વાત કરી છે તે હાસ્યાસ્પદ છે. નિમણુંક સમયની જ શરત છે કે પાંચ વર્ષે કાયમી કરવા પડે જ હાઈકોર્ટ પણ સ્પષ્ટ આદેશ આપેલ છે.

    ———————————————————————————————————————————————————————–

     

     

  • Press Note Guj Dt: 16.09.2016 લોક આક્રોશથી હડધૂત થયેલ ભાજપની ભાગેડુ વૃતિ

    Click here to view/download the press note.

    અખબારી યાદી                                                     તા. ૧૬/૦૯/૨૦૧૬  

                                                  “લોક આક્રોશથી હડધૂત થયેલ ભાજપની ભાગેડુ વૃત્તિ

    સરકારની જાવબદારી હોય છે કે લોકોની વચ્ચે જઈને લોક પ્રશ્નો સાંભળવા અને તેને ઉકેલવા. તાજેતરમાં સુરત અને ભાવનગરમાં જનઆક્રોશથી હડધુત થયેલ ભાજપ સરકારના પ્રતિનિધિઓ જનતાની વચ્ચે જઈને પ્રશ્નો સાંભળી તેનો ઉકેલ કરવાના બદલે  ટ્વીટર ટાઉનહોલનું નાટક મુખ્યમંત્રીના માધ્યમથી કરે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ટેકનોલોજી, ટ્વીટર અને સોશિયલ મીડિયા  આવકારદાયક છે પરંતુ ગુજરાતમાં ખેડૂત કે ગ્રામ્ય જનતા ટ્વીટર વાપરતી નથી અને મોટા ભાગના યુવાનો ટ્વીટર જાણે છે તેમને યોગ્ય રોજગારી નથી અને જેને રોજગારી છે તેને ફિક્સ પગાર છે  તેથી ડેટા પ્લાનનો ખર્ચ પણ પોસાય તેમ નથી. તેવા સંજોગોમાં ટ્વીટર ટાઉનહોલ એક તમાશો છે.

    બંધારણીય સિધ્ધાંત છે “સમાન કામ – સમાન વેતન” આમ છતાં ગુજરાતના યુવાનોને ફિક્સ પગાર અપાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્રારા સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે. તેમને પુરતો પગાર આપવો જોઈએ અને સમાન કામ સમાન વેતન સિધ્ધાંત નું પાલન થવું જોઈએ. આ ચુકાદાનો અમલ કરવાના બદલે ગુજરાતની ભાજપ સરકારે સુપ્રીમકોર્ટે માં અપીલ કરીને ગુજરાતના યુવાનોનું શોષણ ચાલુ રાખેલ છે. શ્રી ગોહિલે સુપ્રીમમાંથી અપીલ પાછી ખેંચવા અને હાઇકોર્ટના ચુકાદાનું પાલન કરવા માંગણી કરી છે.

    ગુજરાતમાં ભાજપની સરકાર આઉટસોર્સિંગના નામે પણ યુવાનોનું શોષણ કરે છે. વચેટિયા એજન્સીઓ મલાઈ ખાય જાય છે અને ગુજરાતના યુવાનોને નજીવો પગાર મળે છે. આઉટસોર્સિંગના કારણે દલિત, આદિવાસી તથા બક્ષીપંચના યુવાનોને મહતમ નુકશાન થાય છે.

    ભાજપના હાલના વડાપ્રધાન ચૂંટણી દરમ્યાન કહેતા હતા કે, ગુજરાત પાસે સરપ્લસ (વધારાની) વીજળી છે અને પાકિસ્તાનને પણ આપી શકું તેમ છું તો પછી ગુજરાતના ખેડૂતોને દિવસે કેમ પુરતી વીજળી મળતી નથી? જો પાકિસ્તાનને આપી શકાય તેટલી વધારાની વીજળી છે તો ખેડૂતો ને ૨૪ કલાક વીજળી આપોને.

    સરકારી નોકરીઓમાં અનેક જગ્યાઓ ખાલી છે, ભરતી થોડી જ થાય છે અને તેમાં પણ લાખો રૂપિયા લેવાય છે.

    કચ્છને ૧ મિલિયન એકર ફીટ વધારાનું નર્મદાનું પાણી આપવાનું સ્વિકારેલ છે છતાં ૨૨ વર્ષથી સત્તામાં રહેલી ભાજપની સરકારે કચ્છ માટે સહેજ કામ કેમ નથી કર્યું? કચ્છને અન્યાય શા માટે? સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ તથા ૮૭ નદીઓ જુન ૨૦૧૬માં નર્મદાથી જોડાઈ જશે તેવી  જાહેરાત હાલના વડાપ્રધાને ૨૦૧૨માં કરી હતી તો માત્ર ૩ જ ડેમમાં કેમ પાણી આવ્યું? આ રીતે કામ થાય તો સૌરાષ્ટ્રના ડેમો પચાસ વર્ષે પણ ન જોડાય.

    ભાવનગરની માલેશ્રી નદી જેવી અનેક નદીઓમાંથી નર્મદાના પાણીની લાઈન નીકળે છે તો તેના વાલ્વ ખોલીને નદીઓ અને ચેકડેમોમાં કેમ પાણી નથી ભરવામાં આવતું?

    દલિત, જમીન વિહોણા તથા ગરીબ ને મળતી સાંથણીની ખેતી માટેની જમીન ભાજપ સરકારે કેમ બંધ કરી છે?

    શહેરોમાં મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ કોંગ્રેસ સરકાર મફત કે નજીવી ફીમાં આપતી તો હવે શિક્ષણ મોંઘુદાટ કેમ?

    ગુજરાતમાં વીજળી, પેટ્રોલ, ડીઝલ સૌથી મોંઘુ અને વેટનો દર પણ દેશમાં સૌથી વધારે છે તેથી મધ્યમ વર્ગ મોંઘવારી થી પીસાય છે અને ભાજપ સત્તાની સાંઠમારીમાં મસ્ત છે.

    લોક પશ્નો લોકોની વચ્ચે જઈને સંભળાય તેના માટે નાટક ન કરાય. ગુજરાતના મુખ્યમંત્રીએ ટ્વીટર ઉપર #AskVijayRupani નું ટ્વીટર તમાશા કરેલ છે. ત્યારે ગુજરાતની જનતા વતી ગુજરાતના મુખ્યમંત્રીના ટ્વીટર તમાશાને કેટલાક પ્રશ્નો પૂછવાની ફરજ પડી છે તેમ શ્રી શક્તિસિંહ ગોહિલે જણાવેલ છે.

    ———————————————————————————————————————————-