Author: Shaktisinh Gohil

  • “મુઠી ઉંચેરા માનવી બ.ગો.મહેતા” ની ૫૦મી પુણ્યતિથિ એ સ્‍મરણાંજલિ.

    “મુઠી ઉંચેરા માનવી બ.ગો.મહેતા” ની ૫૦મી પુણ્યતિથિ એ સ્‍મરણાંજલિ.

    1906_Balwantrai_Mehra

                રેલ્‍વેના એક કલાર્ક તરીકે નોકરી કરતા પિતાના સામાન્‍ય ૫રિવારમાં જન્‍મેલા, પાંચ વર્ષની નાની ઉંમરે પિતા ની છત્રછાયા ગુમાવવાથી સંઘર્ષપૂર્ણ  બાલ્‍ય અવસ્‍થા ગુજારનાર ૫રંતુ કર્તવ્‍ય ૫રાયણતા, જનસેવા અને અથાગ મહેનથી ગુજરાતના મુખ્‍યમંત્રી બનેલા સ્‍વ.બળવંતભાઈ મહેતાની ૫૦મી પુણ્યતિથિ ૧૯ સપ્‍ટેમ્‍બરના રોજ છે. બ.ગો.મહેતાના હુલામણા નામથી ઓળખાતા સ્‍વ.બળવંતરાય મહેતાના જીવનના કેટલાંક પ્રસંગો તેમની ૫૦મી પુણ્યતિથિએ યાદ કરીએ. પંચાયતી રાજય, સ્‍ત્રી કેળવણી અને સત્‍તાના વિકેન્‍દ્રીકરણના સિઘ્‍ધાંતોનો ગુજરાત અને દેશમાં મજબૂત પાયો  નાખવાનો યશ સ્‍વ.બળવંતભાઈ મહેતાને છે. પાકિસ્તાન સાથેના યુઘ્‍ધને ૫૦ વર્ષ થયા છે. અને પાકિસ્તાનના સાથેના આ યુઘ્‍ધના કારણે જ ગુજરાતે પોતાના મુખ્‍યમંત્રી સ્‍વ. બળવંતભાઈ મહેતાને ૧૯ સપ્‍ટેમ્‍બર,૧૯૬૫માં ગુમાવવાનો વારો આવ્‍યો હતો.

                સ્‍વ.બળવંતભાઈ મહેતાના જીવનમાં ૧૯ તારીખનુ ૫ણ એક અદભૂત મહત્‍વ રહેલું છે. સ્‍વ.મહેતાનો જન્‍મ “૧૯ તારીખે, તેઓ મુખ્‍યમંત્રી બન્‍યા ૧૯ તારીખે અને તેમનુ મૃત્‍યુ ૫ણ થયું ૧૯ તારીખે” એક સામાન્‍ય ૫રિવારમાં જન્‍મીને પિતા ની છત્રછાયા ગુમાવ્‍યા ૫છી ૫ણ જનસેવા અને સતત મહેનત તથા લોકસેવા માટેની સાધના સ્‍વ.મહેતાના જીવનના ખૂબ જ મોટા ૫રિબળો રહયા છે. માત્ર ર૪ વર્ષની ઉંમરે નાગપુર  ખાતે ઝંડા સત્‍યાગ્રહમાં ભાગ લેવા તેઓ ૫હોંચી ગયા હતાં. ૧૯ર૬માં હરિજન છાત્રાલયના ગૃહ૫તિનુ કામ સંભાળીને અસ્પૃશ્યતાના નિવારણ માટે એક આદર્શ દાખલો તેમણે પૂરો પાડ્યો હતો. ૧૯૩૦માં પૂર્ણ સ્‍વરાજની લડત ધોલેરા સત્‍યાગ્રહમાં અને સવિનય કાનૂન ભંગની લડતમાં અગ્રેસર ભાગ ભજવનાર સ્‍વ.બળવંતભાઈ મહેતાને એક વર્ષની સજા થયેલી જેમાંના છ મહિના શાહીબાગ  ખાતે જેલમાં ગુજરવા ૫ડયા હતાં. હતાશ થયા વગર લોકસેવામાં કામ કરતા કરતા જે શાહીબાગ જેલમાં રહયા હતા તે શાહીબાગ વિસ્‍તારમાં મુખ્‍યમંત્રી તરીકે ૫દગ્રહણ તેઓએ કર્યુ હતું. (અગાઉ ગુજરાતની વિધાનસભા અને સચિવાલય ગાંધીનગર નહીં ૫રંતુ અમદાવાદના શાહીબાગમાં હતાં)

                પ્રજા૫રિષદમાં ખૂબ સારી કામગીરી સ્‍વ.બળવંતભાઈ અને તેમની ટીમ દ્વ્રારા થતી હતી આજ કારણોસર જયારે ભાવનગરના મહારાજા કૃષ્‍ણકુમારસિંહજીએ પોતાનુ રાજય દેશની લોકશાહી માટે સોં૫વાનો નિર્ણય કરવાનું વિચાર્યુ ત્‍યારે જગુભાઈ ૫રીખ મારફતે શ્રી બળવંતભાઈને દિલ્‍હીથી ખાસ બોલાવ્‍યા હતાં અને ત્‍યારબાદ ભાવનગરનું સમર્પણ  દેશની લોકશાહીમાં થયું હતું. પ્રથમ જવાબદાર રાજયતંત્ર ભાવનગર રાજયે જયારે બનાવ્‍યુ ત્‍યારે પ્રથમ મુખ્‍યમંત્રી ૫ણ શ્રી બળવંતભાઈ મહેતાને બનાવવામાં આવ્‍યા હતાં. સૌરાષ્‍ટ્રના અન્‍ય નાના નાના રાજયોના સમર્પણ બાદ સૌરાષ્‍ટ્ર એકમ બન્‍યુ અને સૌરાષ્‍ટ્ર એકમના મુખ્‍યમંત્રી એ ઢેબરભાઈ થયા તો તે સમયે નાયબ મુખ્‍યમંત્રી તરીકે સ્‍વ.બળવંતભાઈ મહેતા બન્‍યા હતા. સ્‍થાનિક સ્‍વરાજય અને શિક્ષણ જેવા ખાતાઓ તેમના પાસે હતા. વિદ્યાર્થીઓના આંદોલનના ૫ગલે સૈઘ્‍ધાંતિક બાંધછોડ નહીં જ કરું તેમ કહીને સૌરાષ્‍ટ્ર રાજયના પ્રધાન૫દ ૫રથી તેમણે રાજીનામુ આપ્‍યુ હતું. ગામે ગામ ગ્રામ પંચાયતોની સ્‍થા૫ના અને પંચાયતી  રાજયની મજબૂત બનાવવા માટેનુ એક આદર્શ અને ઉત્‍તમ કાર્ય એ સ્‍વ.બળવંતભાઈ મહેતાની દેન છે. કોંગ્રેસ પક્ષમાં સક્રિય કામગીરી કરતાં કરતાં ઓલ ઈન્‍ડીયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી સ્‍વ.બળવંતભાઈ મહેતા બન્‍યા હતા ભાવનગરના સાંસદ તરીકે ચૂંટાઈને તે સમયે સંસદીય સમિતિમાં સત્‍તાના વિકેન્‍દ્રીકરણ,ત્રીસ્‍તરીય પંચાયતોની રચના વિગેરે બાબતોની સમજ અને અમલીકરણમાં સ્‍વ.મહેતાએ ખૂબ મોટો ફાળો આપ્‍યો હતો. ૫૫ વર્ષની ઉંમરે ભાવનગરમાં જયારે સ્‍વ.મહેતાને સન્‍માનિત કરવા માટે ૫૫ હજાર રૂપિયાની  થેલી આ૫વાનું આયોજન થયુ ત્‍યારે સ્‍વ.મહેતાના કરેલા કાર્યોના કારણે લોકોમાં ઉત્‍સાહ એટલો હતો કે,૫૫ હજારની જગ્‍યાએ ૧,૫ર,૧૧૧ રૂપિયા એકત્રીત થયા. ૬ ડીસેમ્‍બર-૧૯૫૫ના રોજ જયારે આ નાણાંની થેલી સ્‍વ.મહેતાને આ૫વામાં આવી ત્‍યારે તેમણે એ રકમ પોતાના માટે સ્‍વીકારવાના બદલે ભાવનગરના હિત માટે સમર્પિત કરી દીધી હતી. ભાવનગરના ગાંધીસ્‍મૃતિ, સરદાર સ્‍મૃતિ અને જયાં આજે જિલ્‍લા પંચાયત બેસે છે તે પંચાયત ભવન સ્‍વ.બળવંતભાઈ મહેતાને આભારી છે. ભાવનગર શહેર જે ડેમનુ પાણી પીવે છે અને જીલ્‍લાના અનેક ખેડૂતોને સિંચાઈનો લાભ મળે છે તે શેત્રુજી ડેમ સ્‍વ.બળવંતભાઈ મહેતાના સૂઝના કારણે પ્રાપ્‍ત થયેલો છે.

         શિહોર મત વિસ્‍તારના શ્રી ભોગીભાઈ લાલાણીએ રાજીનામુ આપીને સ્‍વ.બળવંતભાઈ મહેતાને શિહોર વિસ્‍તારમાંથી ચૂંટણી લડવા માટે જગ્‍યા ખાલી કરી ત્‍યારે શિહોર વિસ્‍તારમાંથી ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈને સ્‍વ.બળવંતભાઈ મહેતા વિધાનસભાના સભ્‍ય બન્‍યા હતાં. તા.૧૯.૯.૧૯૬રના રોજ ગુજરાતના મુખ્‍યમંત્રી તરીકે સ્‍વ.બળવંતભાઈ મહેતાએ શ૫થ લીધા હતાં. પાકિસ્તાન સાથે યુઘ્‍ધ ચાલતુ હતું અને એજ સમયે તા.૧૯.૯.૬૫ના રોજ દ્વારકા ખાતે નેશનલ કેડેટની સભાને સંબોધવા મુખ્‍યમંત્રીએ જવાનુ હતું અને દ્વારકા થી મીઠાપુર ૫હોંચવાનું હતું. સલામતીની દ્રષ્‍ટિએ કેટલાક અધિકારીઓ તરફથી આ કાર્યક્રમ રદ કરવા માટે સૂચન થયુ હતું ૫રંતુ તે સૂચનને અવગણીને નેશનલ કેડેટની સભાના સંબોધમાં માટેના કાર્યક્રમમાં જવા તા.૧૯.૯.૧૯૬૫ના રોજ સ્‍વ.બળવંતભાઈ મહેતા વિમાનમાં બેસીને દ્વારકા જવા રવાના થયા હતાં. દ્વારકા પાસે થી સ્‍વ.બળવંતભાઈ મહેતાના વિમાનને પાકિસ્તાનના લડાકુ વિમાનોએ ઘેરી લીધુ હતુ અને વિમાનને હાઈજેક કરીને પાકિસ્તાન તરફ લઈ જવા માટે દબાણ કરવામાં આવ્‍યુ હતુ. પાકિસ્તાન લડાકુ વિમાનોના ઘેરાવા નીચે દ્વારકા થી પાકિસ્તાન તરફ જઈ રહેલુ સ્‍વ.બળવંતભાઈ મહેતાનુ વિમાન કચ્‍છ જીલ્‍લાના સુથરી ગામ પાસે તૂટી ૫ડયુ હતું. સ્‍વ.બળવંતભાઈ મહેતાએ શહીદી વહોરી હતી. આ વાતને આજે ૫૦ વર્ષ પૂર્ણ  થઈ રહયા છે. એક ગરીબ ૫રિવારમાંથી આવીને સંઘર્ષપૂર્ણ  રીતે ગુજરાતના મુખ્‍યમંત્રીની ખુરશીને શોભાવનાર વિરલ વ્‍યકિતને સ્‍મરણાંજલિ.

                યોગાનુ યોગ મારા માટે એવો છે કે, સ્‍વ.બળવંતભાઈ મહેતા જે વિસ્‍તારમાં જન્‍મ્‍યા હતાં એ ભાવનગર શહેરના ધારાસભ્‍ય તરીકે મેં વર્ષો સુધી પ્રતિનિધિત્‍વ કર્યુ છે અને આજે જયારે સ્‍વ.બળવંતભાઈ મહેતાની ૫૦મી પુણ્યતિથિ છે ત્‍યારે સ્‍વ.બળવંતભાઈ મહેતા જયાં શહીદ થયા હતાં તે સુથરી ગામ અબડાસા વિધાનસભા મત વિસ્‍તારમાં આવેલું છે. એટલે કે હાલ હું ધારાસભામાં જયાંથી પ્રતિનિધિ કરું છું તે વિસ્‍તારમાં આવેલા સુથરી ગામે સ્‍વ.બળવંતભાઈ મહેતા શહીદ થયા હતાં. તેમની ૫૦મી મૃત્‍યુતિથિની પૂર્વસંઘ્‍યાએ હું સુથરી ખાતે જઈને તેમના શહીદ સ્‍મારકને નમન કરવાનો છું. આ જગ્‍યાના વિકાસ માટે ધારાસભ્‍યની ગ્રાન્‍ટમાંથી કાંઈક આપીને સ્‍વ.બળવંતભાઈ મહેતાને સ્‍મરણાંજલિ આપીશ. આવતા દિવસોના રાજકારણમાં તેમના જેવી નિષ્ઠા,પ્રમાણિકતા અને કર્તવ્‍યનિષ્ઠા સૌને અર્પણ  થાય તેવી પ્રાર્થના.

                                                                                લેખક

                                                                                     

    (શક્તિસિંહ ગોહિલ)

                                                                                     ધારાસભ્ય

    —————————————————————————————————————

    Click here download blog :- Death Anniversary of Balwantrai Mehta

     

  • Press Note Eng 14/09/2015 Khokha Port Yemen

    Press Note Eng 14.09.2015 Khokha Port Yemen

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

     

     Press Note                                                                                     14th September,2015

               

                Seven seamen from Gujarat have died while many more have been trapped at Khokha port of Yemen. These seamen are from Kutch and Jamnagar district of Gujarat. National spokesperson of Congress and party MLA from Abdasa of Kutch district Shaktisinh Gohil has drawn the attention of Foreign Minister Sushma Swaraj to the plight of these seamen and sought immediate help for their evacuation.

               He said while two ships trapped at the port have been destroyed five other are facing heavy bombarding. Though two ships belong to Dubai staff of the ships was from Gujarat, he pointed out. He said that bodies of three of the seven dead have been found and buried according to information reaching here.        

    IMG-20150914-WA0006

    IMG-20150914-WA0003

     

    IMG-20150914-WA0005

    IMG-20150914-WA0004

     

    He said that those who are injured in shelling must be rescued and provided medical treatment most urgently. Government of India must take immediate steps to bring these seamen to India and help them get justice to those who have been killed.

    IMG-20150914-WA0009

        
    IMG-20150914-WA0008

     

            He said that seamen trapped in Yemen are very poor and government should give relief to their families. He also sought compensation for the two ships destroyed in bombing at Khokha port. Until Yemen govt provides compensation, government of India should offer help to the ship owners.

              Gohil released to media photographs of the damaged ships and injured seamen. Gujarat government should not only bring pressure on government of India but it should also offer financial help to the victims.

    ————————————————————————————————————————

      

  • Press Note Guj 14/09/2015 Al-Khokha Port – Yemen

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારીયાદી                                                                                     તા.૧૪.૦૯.૨૦૧૫

           યમન ખાતેના અલખોખા પોર્ટ (બંદર) ખાતે તાજેતરમાં ગુજરાતના બે વહાણ (જહાજ)ના ઉપર બોમ્બમારો કરીને તેમને સળગાવી દેવમાં આવ્યા છે. આ જહાજોમાં ગુજરાતના ક્રુ મેમ્બર હતા તે પૈકી ૭ વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને તેમાંથી ત્રણ શબ મળતા તેની દફન વિધિ કરવામાં આવી છે. આ જ બંદર પર અન્ય બીજા પાંચ જહાજો હજુ પણ ભયના ઓથાર નીચે અને બોમ્બમારાની વચ્ચે ફસાઈને પડ્યા છે. આ પાંચ જહાજોમાં મોટાભાગના ગુજરાતના કચ્છ જીલ્લાના અને જામનગર જીલ્લાના વિવિધ જ્ઞાતિ અને વિવિધ ધર્મના લોકો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસા ના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે કેન્દ્રના વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજને વિનંતી કરી છે કે, યમન ખાતેના અલખોખા પોર્ટ પર જે ગુજરાતીઓ ફ્સાયા છે તેમને તાત્કાલિક બચાવી લેવામાં આવે અને તેમને પુરતી મદદ પહોચાડવામાં આવે. ગંભીર રીતે ઘવાયેલા કેટલાક ગુજરાતી ક્રુ મેમ્બર અત્યંત કરુણ હાલતમાં યમન ખાતે છે તેમને પુરેપુરી સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં આવે અને પુરતી સારવાર સાથે દેશમાં પરત લાવવાની વ્યવસ્થા તાત્કાલિક થાય તે જરૂરી છે. ફસાયેલા પાંચ જહાજો પૈકી બે જહાજ દુબઈના છે પરંતુ તેમા પણ ક્રુ મેમ્બર ગુજરાતીઓ જ છે અને માટે ગુજરાતના આ અત્યંત મુશ્કેલીમાં મુકાયેલા લોકોને કેન્દ્ર સરકારે તાત્કાલિક મદદ કરવાની જરૂરીયાત છે.      

    IMG-20150914-WA0006

         

    IMG-20150914-WA0003

     

     

    IMG-20150914-WA0004

    IMG-20150914-WA0005

                   યમન ખાતે ગુજરાતના જે નિર્દોષ વ્યક્તિઓને વિનાકારણે મારી નાખવામાં આવ્યા છે તેઓને પુરતો ન્યાય અપાવવા માટે ભારત સરકાર કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. જે ૭૦ જેટલી વ્યક્તિઓ હાલ યમન ખાતે નિ:સહાય  બનીને ખાવાપીવાની પણ તકલીફ સાથે ભયના ઓથાર નીચે છે તેમને આપણા દેશમાં પરત લાવવાની સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. શ્રી ગોહિલે એ પણ માંગણી કરી છે કે, જે વ્યક્તિઓના યમન ખાતે મૃત્યુ થયા છે તે સાવ ગરીબ પરિવારમાં થી આવતા ક્રુ મેમ્બરો છે. તેમના જવાથી પરિવારમાં કમાનાર મુખ્ય મોભી જતા રહેલ છે માટે સરકારે તાત્કાલિક રીતે આ મુત્યુ પામેલા પરિવારોને આર્થિક મદદ કરવાની જરૂરિયાત છે. કોઈ પણ કારણ વગર બોમ્બમારાથી ગુજરાતીઓના જે જહાજોને તોડી પાડવામાં આવ્યા છે તે જહાજોનું પુરેપુરુ વળતર યમન સરકાર પાસેથી મેળવવા ભારત સરકારે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ અને હાલમાં તાત્કાલિક ભારત સરકારે આ જહાજોની વળતરની રકમ ચૂકવી આપવી જોઈએ.

    IMG-20150914-WA0009

        

    IMG-20150914-WA0008

     

                યમન ખાતે ફસાયેલા ગુજરાતીઓના ફોટોઓ અને તેમજ યમન ખાતે જે જહાજોને સળગાવી નાખવામાં આવ્યા છે તેના ફોટાઓ તથા ગંભીર રીતે દાજી ગયેલા અને યમન ખાતે અત્યંત દયાજનક પરીસ્થિતમાં રહેલા ક્રુ મેમ્બરના ફોટા પ્રેસ અને મીડિયાને શ્રી ગોહિલે આપ્યા હતા.

                ગુજરાત સરકારે પણ તાબડતોબ રીતે ભારત સરકાર પર ગુજરાતીઓને બચાવવા માટે દબાણ કરવા અને મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને ગુજરાત સરકાર પણ આર્થિક રીતે સહાય કરે તેવી માંગણી પણ શ્રી ગોહિલે કરી છે.

    ———————————————————————————————————–

     

  • Press Note Guj Dt: 27/09/2015

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારી યાદી                                                     તા. ૨૭.૦૯.૨૦૧૫

     

         ગઈ કાલે બનેલી અત્યંત દુઃખદ ઘટના કે જેમાં નવયુવાન ઉમેશ પટેલે કરેલી આત્મહત્યાના સંદર્ભે પ્રતિભાવ આપતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે માનવ જીવન ખુબ જ મૂલ્યવાન છે. પાટીદાર યુવાનો અને તમામ ગુજરાતીઓને અનુરોધ છે કે આવુ અંતિમ પગલું કોઈ ન  ભરે. ગુજરાત સરકાર પણ અહંકાર ન રાખે પરંતુ ગુજરાતના યુવાનોની મનસ્થિતિ કેમ વિહવળ બની છે તેનો વિચાર કરે. ન્યાયાલયો પણ માને છે કે, મરતા સમયે કોઈ પણ વ્યક્તિ જુઠ્ઠું ન બોલે. ડાઈંગ ડેકલેરેશન (મરતા સમયની નોંધ) ને આખરી ગણવામાં આવે છે. ઉમેશ પટેલે ડાઈંગ ડેકલેરેશન (મુત્યુ સમયનો પત્ર) લખી ને પોતાની આત્મહત્યા માટે કારણો જણાવ્યા છતાં ગુજરાતના મુખ્યમંત્રી કહે છે કે પોલીસ તપાસ કરવામાં આવશે અને પછી જ આત્મહત્યાનું કારણ જાણવા મળશે.

           ગુજરાતમાં ઘણા લાંબા સમયથી સરકારી નોકરીઓમાં ભરતી જ નથી થતી. હાલમાં  થયેલ ભરતીઓમાં ભયંકર ભષ્ટ્રાચાર થયો છે. તલાટીની ફિક્સ પગારની નોકરી માટે તેર લાખ યુવાનોએ ફોર્મ ભરેલા. નોકરી લાયકાતવાળાને મળવાના બદલે પંદર-પંદર લાખ લેનાર ભાજપના દલાલો પકડાયા. GPSC ની ભરતીમાં છબરડાઓ જાહેર થયા. ગુજરાતની હાઈકોર્ટે કહ્યું કે ફિક્સ પગાર એ યુવાનોનું શોષણ છે તેનો પુરતો પગાર આપો છતાં સરકાર ફિક્સ પગાર આપે છે. આઉટ સોર્સિંગના નામે માનીતા માલામાલ થાય છે અને યુવાનોનું દમન થાય છે. શિક્ષણનું વ્યાપારિકરણ થયું છે. આરટીઈનો કાયદો હોવા છતાં શિક્ષણમાં ખુલ્લી લુંટ ચલાવવા માટે કાયદાનો અમલ નથી થતો. ભાજપના વર્ષોથી ચાલતા ગુજરાતના શાસનમાં એક પણ નવી સરકારી કોલેજ શરૂ થયેલ નથી. સેલ્ફ ફાઇનાન્સના નામે શિક્ષણનો ધંધો ચાલે છે. સરકારે તાજેતરમાં જાહેર કરેલ પેકેજ દાઝ્યા પર ડામ જેવું છે. ૯૦ પર્સન્ટાઈલ થી ઉપરના વિદ્યાર્થીઓને તો આમ પણ સરકારી બેઠકો મળે છે. પાઠ્યપુસ્તકો મોટા ભાગના બાળકોને સરકારી શાળામાં કેન્દ્ર સરકારની સર્વ શિક્ષા અભિયાન યોજનામાંથી મળે જ છે. બાર સાયન્સમાં ૯૦ ટકા પર્સન્ટાઈલ ઉપરના માત્ર સાતેક હજાર જ વિદ્યાર્થીઓ છે. તેમાં પણ માસિક ૩૭ હજાર થી ઓછી આવક હોય તેને લાભ મળવાનો હોય તો તે હાસ્યાસ્પદ છે. એન્જીનીયરીંગમાં તો હજારો બેઠક ખાલી છે. ભૂતકાળમાં હીરા ઉદ્યોગના કારીગરો માટે બાર સો કરોડનું પેકેજ જાહેર કરેલું પણ કોઈને એક પણ રૂપિયો નથી મળ્યો. આવા જ પેકેજ વન બંધુ કલ્યાણ, સાગર ખેડુ,અતિવૃષ્ટિના ખેડૂતોના પેકેજ, જીલ્લે-જીલ્લે જાહેર કરેલ પેકેજ, સદભાવના પેકેજ, બટાટાના ખેડૂતો માટે ટ્રાન્સપોર્ટ પેકેજ વગેરે કાગળ પર જ છે. સરકારની આ માનસિકતા યુવાનોમાં હતાશા પેદા કરે છે અને આત્મહત્યા જેવા અંતિમ પગલાં ગુજરાતમાં ભરાય છે.    

    ———————————————————————————–