Author: Shaktisinh Gohil

  • Press Note Eng Dt: 30/08/2015 Gujarat Agricultural Lands Ceilings Act

    click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

      

     Press Note                                                                                          30th August,2015

     

                By Gujarat Agricultural Lands Ceilings Act Gujarat government has made a way to help its favourite businessmen get precious agricultural land usurping the rights of  tribal, members of Baxi Panch communities, dalits and cattle holders, national spokespersons and Congress MLA Shaktisinh Gohil charged.

                To make its plan smooth, he said, Congress members were suspended from the House and the amendment bill was passed. The government has taken advantage of the recent Supreme Court judgment which declared that grassland should be treated as agricultural land. Available land is massive. With an eye on this newly available land the government brought changes in the Gujarat Agricultural Lands Ceilings Act by which this land can be given to industrialists.

                Explaining the objective of the original Act, he said that it was to take away excess land from people and give them to the needy tribal, members of Baxi Panch communities, dalits and cattle holders so that more people have land. Now the land available under the Supreme Court verdict can change lives of lakhs of poor people of tribal, members of Baxi Panch communities, dalits and cattle holders. But the government is interested in its favourite businessmen and industrialists and so it changed the Act. Now this land can be given to industrialists.

                He said that Congress will take the issue before public and expose evil design of the ruling BJP to gift land worth billions to its favourites.

                He said that the Congress brought this law in 1960 to help tribal, members of Baxi Panch communities, dalits and cattle holders. Congress gave this land to lakhs of needy people, but none has been provided land under the Act since last 13 years. BJP favours businessmen only. Since the law did not allow and government got lots of surplus land, it changed the Law to suit its corrupt practices.

    ————————————————————————————————————————

     

  • Press Note Guj Dt: 28/08/2015 CAG Report

    Click here to view/download press note

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારીયાદી                                                                                                              તા.ર૮-૮-ર૦૧પ

    આજે ગુજરાત વિધાનસભામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના માર્ચ-ર૦૧૪ના વર્ષના ઓડિટના કેગના અહેવાલમાં રજૂ થયો હતો. આ અહેવાલ પર પ્રતિક્રિયા આપતાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખૂબ જ સારા વિકાસના નામે મોટો ભ્રષ્ટાચાર કરનાર ભારતીય જનતા પક્ષની વાસ્તવિક હકિકત એ છે કે, લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ ઈન્સ્ટીટયુટ (L.S.G.I.) કાર્યરત કરવામાં ભાજપ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે. બંધારણમાં કરાયેલાં સુધારાનો હેતુ સાર્થક કરવામાં ગુજરાતમાં ભાજપની સરકારની નિષ્ફળતાઓ કેગે ઉજાગર કરીને નોંધ્યું હતું કે, બંધારણમાં કરાયેલાં સુધારાનો હેતુ ગુજરાતમાં સાર્થક થયો નથી. કેગ દ્વારા ઓડીટમાં ઉજાગર કરેલાં વર્ષો પૈકીના તમામ વર્ષો હાલના ભારતના વડાપ્રધાનશ્રી અને ગુજરાતના મુખ્યમંત્રી હતા. તે સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. ગુજરાતમાં ખરેખર બંધારણીય સધારા પહેલાથી પંચાયતી રાજ મજબૂત હતું તેને નબળું પાડવાનું કામ ભા.જ.પ.ના શાસનમાં થયું છે.

    ૧૩માં નાણાપંચ તરફથી મળેલાં કરોડો રૂપિયાની સહાય વણ વપરાયેલી રહી છે અથવા તો તેમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને યોજનાનું અમલીકરણ અયોગ્ય રીતે થયું છે. સંકલિત જળસ્ત્રાવ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણમાં ભા.જ.પ.ની સરકારના શાસનમાં જે ગેર વહીવટ થયો છે તે કેગ દ્વારા ઉજાગર કરવામાં આવ્યો છે. ખરેખર ગુજરાતમાં જળસ્ત્રાવ કાર્યક્રમ અત્યંત જરૂરી અને ઉપયોગી હોવા છતાં આ કાર્યક્રમમાં ભારત સરકાર તરફથી રૂા.૭૬૧.૯૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થયેલાં તેને યોગ્ય રીતે વાપરવામાં આવ્યા નથી. સન-ર૦૦૯-૧૦માં પ્રાપ્ત  ભંડોળમાંથી માત્ર એક જ ટકા નાણાં વપરાયેલ છે. તેજરીતે સન-ર૦૧૦-૧૧થી ર૦૧ર-૧૩ના વર્ષમાં માત્ર ૯ ટકા થી રર ટકાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જળસ્ત્રાવ બાંધકામના કામોમાં કરોડો રૂપિયાનો જે ખર્ચ થયો છે તેમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર છે. કેગ દ્વારા નોંધવામાં આવ્યું છે કે, જયાં પાણીનું વહેણ જ ન હોય ત્યાં ર૬ જેટલાં ચેકડેમો બનાવીને સાવ નિરર્થક ખર્ચ કરવામાં આવ્યો છે. આમ પાણીની આવક ન હોય તેવી જગ્યાએ ચેકડેમ બનાવીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં તથા નર્મદા જિલ્લામાં લાખો રૂપિયાની ઉચાપતના કિસ્સાઓ કેગના અહેવાલમાં ઉજાગર કરવામાં આવ્યો છે.

    સ્વર્ણ જયંતી ગ્રામ સ્વરોજગાર યોજના અંતર્ગત ગ્રામ્ય પેદાશોને પ્રમોટ કરવા માટે હાટો બનાવવાનું આયોજન હતું પરંતુ કેગના તપાસમાં ખુલ્યું છે કે, હાટો બનાવવાનું કામ પણ ખોટી રીતે થવાના કારણે બનેલી હાટો બીન ઉપયોગી રહી છે અને રેઇનફોર્સડ સીમેન્ટ કોંક્રિટ સ્લેબ ભરવાની જગ્યાએ ફાઇબર, રેઇનફોર્સડ પ્લાસ્ટીક શીટ્સનો ઉપયોગ કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.

    ભા.જ.પ.ની સરકારની નિતી આદિવાસી, વિરોધી રહી છે. જેનો સીધો દાખલો કેગના અહેવાલમાં ઉજાગર થયેલો છે. બેકવર્ડ રીજીયન ગ્રાન્ટ ફંડ અંતર્ગત બનાવવામાં આવેલા વર્મી કમ્પોસ્ટ બેડ્સ માટે લાખો રૂપિયાની શંકાસ્પદ અને બનાવટી ચુકવણી થઇ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જ્યાં ભા.જ.પ.ના શાસનમાં અને રાજ્યમાં પણ ભા.જ.પ.નું શાસન છે ત્યાં કેવા પ્રકારના ભ્રષ્ટાચારો ચાલે છે તેનું ઉદાહરણ ટાંકતા કેગે નોંધ્યું છે કે, ટેન્ડરની શરતો અને સરકારના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં ડામરના બાંધકામમાં વપરાયેલ ડામરના ભાવફેરના નામે કરોડો રૂપિયાની અધિક ચુકવણી કરવામાં આવી છે.

    દેશમાં મોટા સ્માર્ટ સીટી બનાવી દેવાની વાતો કરનાર વડાપ્રધાનશ્રી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે નાના અને મધ્યમ કક્ષાના નગરોના સંકલિત વિકાસની યોજના પણ સાર્થક કરી શકયા નથી. નાના અને મધ્યમ કક્ષાના નગરોમાં શોપીંગ કોમ્પલેક્ષના બાંધકામ અને વપરાશ અંગેનું ઓડિટ કરતાં કેગે નોંધ્યું છે કે, ગુજરાતમાં આ યોજનાના ક્ષતિયુક્ત આયોજન અને ક્ષતિયુક્ત અમલીકરણના કારણે મૂળ ઉદ્દેશ જ સિધ્ધ થયો નથી. અનેક જગ્યાએ ક્ષતિયુક્ત આયોજનના કારણે દુકાનો/સ્ટોલ વણ વપરાયેલા નકામા પડી રહયા હોવાના દાખલા કેગ દ્વારા નોંધવામાં આવ્યા છે અને યોજનામાં ફલશ્રુતિ હાંસલ થયેલ નથી તેની ટીકા પણ  કરવામાં આવી છે. એજન્સી દ્વારા ખાતરીબધ્ધ કરાયેલ પાવર જનરેશન પૂરા પાડવાની નિષ્ફળતાને લીધે કરોડોની આવક ગુમાવ્યાનું પણ કેગે નોંધેલું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શહેરના લાઇટના થાંભલાઓ ઉપર કીઓસ્ક બોર્ડ ફિક્સ કરીને જાહેરાતો પ્રદર્શિત કરવા લેવાયેલ અવિચારી અને શંકાસ્પદ પગલાંને તેમજ ભ્રષ્ટાચારના કારણે લાખો રૂપિયાનું બીન કર આવક ગુમાવવામાં આવી છે જે કેગે નોંધેલું છે.

    ———————————————————————————————————–

  • Press Note Guj Dt: 28/08/2015 Gujarat Agricultural Lands Ceiling _Amendment_Bill, 2015

    Click here to view/download a press note

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારીયાદી                                                                                                         તા. ૨૮.૦૮.૨૦૧૫

         

          ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યશ્રીઓને સસ્પેન્ડ કરીને ગુજરાત સરકારે આદિવાસી, દલિત, બક્ષીપંચ અને પશુપાલકોના અધિકારની જમીનો જરૂરિયાતમંદના પાસેથી ખુંચવીને માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવા માટેનું વિધેયક પસાર કર્યું છે. કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદાનો કાયદો ૧૯૬૦માં ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો. આ કાયદાનો મુખ્ય હેતુ એ હતો કે જેમના પાસે ખૂબ વધારે જમીનો છે તેમની પાસેથી ચોક્કસ મર્યાદા ઉપરાંતની જમીનો સરકાર પાસે લઈ લેવી અને જરૂરિયાતમંદ દલિત, આદિવાસી, પશુપાલક, બક્ષીપંચના લોકો અને ખેત મજદૂરોને આપવી. હાલમાં સુપ્રીમકોર્ટના જજમેન્ટ પછી વિડીઓની અબજો રૂપિયાની જમીનો આ કાયદા નીચે ફાજલ થઇને સરકારને પ્રાપ્ત થવાની છે. આ જમીનો દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકોને જો ગુજરાતમાં મળેતો આ જરૂરિયાતમંદ વર્ગની કાયા પલટ થઇ જાય. ગુજરાત સરકારની ભ્રષ્ટ અને લાલચુ નજર આ જરૂરિયાતમંદ લોકોની જમીન પર પડી અને તેથી વિધાનસભામાં ગુજરાત ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક લાવવામાં આવ્યું. આ સુધારાથી મુખ્ય કાયદાનો આખો હેતુ જ મરી જાય છે. જરૂરિયાતમંદને મળવાપાત્ર જમીન ઉદ્યોગપતિઓ ને આપી શકાય તેવો સુધારો લાવીને ફાજલ થઇ રહેલી અબજો રૂપિયાની જમીન ભષ્ટ્રાચાર કરીને ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવશે. વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસ પક્ષને બહાર ફેકી દઈને જે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં લોકોની વચ્ચે જઈને ભાજપ સરકારની દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકો વિરુધ્ધની નીતિ અને સરકારના ષડયંત્રને ઉજાગર કરશે.

          ૧૯૬૦ના વર્ષમાં ખેતી જમીન ટોચ મર્યાદા કાયદો અમલમાં આવ્યા પછી ફાજલ થયેલી જમીનો કોંગ્રસના શાસનમાં અનેક દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલક વ્યક્તિઓને તેમજ તેઓની મંડળીઓને આપવામાં આવી હતી. આવી જમીનો પ્રાપ્ત થયા બાદ લોકોને ખુબજ ફાયદો થયો હતો. ગુજરાતમાં વિડીઓની (ઘાંસ ઉગતી જમીનો) ટોચ મર્યાદામાં ગણવી કે કેમ તેના કોર્ટ કેસ ચાલતા હતા તાજેતરમાં સુપ્રીમકોર્ટે આવી જમીનો ખેતીની જમીન ગણવી અને ટોચ મર્યાદા નીચે આવરી લેવા હુકમ કર્યો છે અને તેથી ગુજરાતમાં અબજો રૂપિયાની જમીન સરકાર પાસે પ્રાપ્ત થશે જુના કાયદા મુજબ આ જમીનો દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકોને જ આપી શકાય પરંતુ ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ્રાચારી નીતિ ઉદ્યોગપતિઓને આપી ને પૈસા ઘર ભેગા કરવાની છે જે ને ૧૯૬૦નો કાયદો મંજુરી આપતો ન હતો તે થી ખેત જમીન ટોચ મર્યાદા કાયદામાં સુધારો લાવીને ઉદ્યોગપતિઓ ને આપવાનું ષડયંત્ર થયેલ છે. ગુજરાતમાં ભૂતકાળમાં ૧૯૬૦ન જુના કાયદા નીચે અનેક દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકોને જમીનો અપાઈ હતી પરંતુ છેલ્લા ૧૩ વર્ષથી શ્રી મોદીનું શાસન આવ્યા બાદ દલિત, આદિવાસી, બક્ષીપંચ અને પશુપાલકોને ૧૯૬૦ના જમીન ટોચ મર્યાદાના કાયદા નીચે જમીન આપવામાં આવી નથી. અને હવે સરકાર પાસે ઉપલબ્ધ અબજો રૂપિયાની જમીન માનીતા ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવશે આ કૃત્યએ ગરીબ વિરોદ્ધી કૃત્ય છે અને કોંગ્રસ તેની લોકોની વચ્ચે જઈ સમજ આપી લોક વિરોધ ઉભો કરાવશે.

        _________________________________________________________ 

  • Remembering Rajiv ji on his Birth Anniversary.

    Remembering Rajiv ji on his Birth Anniversary.

     

     

    India’s youngest Prime Minister, most dynamic leader who ushered India into Technology era … as I remember him today on his birth anniversary, nostalgic moments that I spent with him come to mind. I was fortunate enough to have the privilege to drive him around when he came campaigning in Bhavnagar district in May 90.

    I humbly acknowledge the great influence of RAJIV ji on my life. His charisma, his style and his modesty was always an inspiration to me. In fact, Rajivji is one of my most significant role models. On his birth anniversary today, my sincere gratitude to India’s Martyr. Rahul ji now embodies all the virtues of his accomplished father.

    j1

     

    —————————–

  • Press Note Eng Dt: 04/08/2015 on Suspension

    Click here to view/download press note.

    Office of Shaktisinh Gohil

    National Spokesperson, AICC & MLA, Abdasa

     

      Press Note                                                                      04th August,2015

     

              What happened in Parliament yesterday was unprecedented event in the history of India – it was an effort to tarnish the country’s Parliamentary tradition. The ruling party has the primary responsibility to see to it that Parliament functions normally by holding constructive dialogue with the opposition. In the past, when the Bharatiya Janata Party was in the opposition, for days together Parliament would not be allowed to function normally, yet the speaker would never suspend anyone. Yesterday’s order by the speaker to suspend 25 members of Parliament from the Lok Sabha took the entire country by surprise.

              What happened in the Lok Sabha actually reflects the mindset of Prime Minister Narendra Modi during his chief ministership in Gujarat, when he sought to establish a similar unparliamentary practice. In the Lok Sabha, Modi only replicated a Gujarat model which he had propped up through undemocratic ways.

              Between 2002 and 2013, as chief minister of Gujarat, there was not one budget session of the state assembly when he did not suspend opposition MLAs.  Earlier, there weren’t any such instances of suspending opposition MLAs with such frequency. During the Congress rule, a senior BJP MLA crossed the floor, snatched a document which chief minister Amarsinh Chaudhury was reading, tore it to pieces, and threw it on him. Yet, this MLA was not suspended for long, nor was any punishment proposed against him. Breaking this high parliamentary tradition, Modi would use his brute majority in Gujarat to suspend the entire opposition several times over during assembly budget sessions. Despite the existence of the speaker’s chair, it was clear from his behariour as to who was pulling the strings.

              On March 2, 2012, as Leader of Opposition of the Congress legislative party, when I sought to place before the House certain details of how Modi uses corrupt ways to favour certain selected industrialists, the treasury benches created a furor and made a plea to suspend me. My behaviour was fully in line with best parliamentary traditions, nor did I indulge in sloganeering or rush in well, hence the speaker was not ready to suspend me. At this point, Modi – acting through a proposal by minister, seconded by another minister – ensured my unlawful suspension for the entire budget session.  According to Gujarat state assembly rules, first the speaker should name an “unruly” MLA, and even after this he refuses to keep quiet, he should be asked to go out. Only after this if he refuses to obey can a proposal be brought in against the MLA to for suspension. Despite this clearcut provision in the rules, Modi went against the law, and he suspended the opposition leader. It seems clear that Modi wants to repeat his unplarliamentary ways in the national Parliament.

              In the past, raking up a large number of issues — including the telecommunications scandal in which Sukhram was an accused, or the 2G scam, or Railway Minister Bansal, against whom where were no proof and was totally innocent – the BJP, when in opposition, would not allow Parliament to function normally for days together.  This type of behaviour was justified by Arun Jaitley, who said that it was a “tactic of the parliamentary practice”. Now that the BJP is in power, why adopt a totally different stance?

              We are witnessing yet another Gujarat model here: The BJP, when in opposition, would hinder Parliamentary work till the resignation of a certain minister, against whom there was no proof, was solicited. But now, when it is in power, it is refusing to seek the resignation of its chief ministers against whom there is clear enough evidence. A Gujarat minister, who was found guilty by a lower court of stealing crores of rupees worth of minerals, was allowed by Modi to continue in the council of ministers, even though he was a convict and a criminal. Modi also allowed another minister to remain in his council of ministers, though he was a TADA detainee under section 302, and also involved in several other criminal offences. Modi and moral have been irreconcilable entities in Gujarat – this is the Gujarat model he wishes to implant on India. The speaker’s job is not to teach opposition a lesson, but to manage and regulate the ruling party. In Gujarat, Modi always tried to work out ways so that the speaker violated parliamentary practice. It seems Modi wants to repeat this model in the country’s parliament, too.   

              It hasn’t ever happened that the ruling party indulges in sloganeering and the opposition members are now allowed to speak.  Yet, in Gujarat, after Modi became chief minister, when several senior MLAs were speaking on tribal issues, he instigated certain ruling party MLAs to indulge in sloganeering, so that they could not speak in the assembly.  This is another Gujarat Modi, which one may witness in the country’s Parliament, too.

              Under Modi’s rule in Gujarat, the state assembly met for the least number of days compared to previous years, yet Congress MLAs were suspended frequently. Data of 10 years under Modi rule show that as many as 259 MLAs were suspended from the state assembly.

              If the country’s people and concerned citizens do not wake up to the despicable event in Parliament, Modi wouldn’t hesitate to further strangle the democratic traditions of the country. 

     

    ————————————————————————————————————–

     

     

  • Press Note Guj Dt: 04/08/2015 on Suspension

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

    અખબારીયાદી                                                              તા. ૦૪.૦૮.૨૦૧૫

         

              આપણા દેશના ઈતિહાસમાં ક્યારે પણ ન બની હોય તેવી સંસદીય પ્રણાલિકાઓને કલંકિત કરતી ઘટના ગઈ કાલે લોકસભામાં બની. સંસદમાં વિરોધપક્ષ સાથે સંવાદ પ્રસ્થાપિત કરીને સંસદ સુચારોરૂપમાં ચાલે તે જોવાની જવાબદારી સત્તાધારી પક્ષના શિરે વિશેષ હોય છે. ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હતી ત્યારે દિવસોના દિવસો સુધી સંસદની કાર્યવાહી ખોરવી નાખવામાં આવતી હતી પરંતુ કોઈ પણ સાંસદને સ્પીકર દ્વ્રારા સસ્પેન્ડ કરવામાં આવ્યા ન હતા. ગઈકાલે કોંગ્રેસના ૨૫ સંસદ સભ્યોને સસ્પેન્ડ કરવાનો સ્પીકરનો હુકમ દેશમાં સૌને નવાઈ પમાડી દેનાર હતો. પરંતુ હક્કિતમાં આ જ મોદીની માનસિકતા છે, અને ગુજરાતમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે આવીજ અસંસદીય પ્રણાલિકાઓ પ્રસ્થાપિત કરી હતી. મોદી એ બિનલોકશાહી રીતે ઉભા  કરેલા ગુજરાત મોડલનું પ્રતિબીંબ ગઈ કાલે લોકસભામાં જોવા મળ્યું હતું.

            ૨૦૦૨ થી ૨૦૧૩ સુધીનો ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો મોદીનો કાર્યકાળ જોઈએ તો એક પણ બજેટ સત્ર ગુજરાતમાં એવું ન હતુ કે જેમાં મોદીએ વિરોધપક્ષ ને સસ્પેન્ડ ન કર્યો હોય. ભૂતકાળમાં ગુજરાતમાં કોઈ પણ સત્તા પર હોય પરંતુ વિરોધપક્ષને બિનલોકશાહી રીતે ક્યારેય વારંવાર સસ્પેન્ડ કર્યા હોય તેવું બન્યું જ ન હતું. કોંગ્રેસના સાશનમાં  ભારતીય જનતા પાર્ટીના એક સિનીયર ધારાસભ્યે ફોર ક્રોસ કરીને મુખ્યમંત્રીશ્રી અમરસિંહ ચૌધરી જે નિવેદન વાંચતા હતા તે ઝુંટવી લઈ ને તેના ટુકડા કરી મુખ્યમંત્રીના મોઢા પર માર્યા હતા તેમ છતા ભાજપના એ ધારાસભ્યને લાંબાગાળા માટે સસ્પેન્ડ કરવાના કે કોઈ શિક્ષાત્મક પગલા ગુજરાતમાં લીધા ન હતા. આ ઉચ્ચ પ્રણાલિકાઓને તોડીને શ્રી મોદીએ ગુજરાતમાં બહુમતીના જોરે સમગ્ર બજેટ સત્રમાં સમગ્ર વિરધપક્ષને સસ્પેન્ડ કરવાનું પાપ વારંવાર કર્યું હતું. ગુજરાતમાં અધ્યક્ષની ખુરશીને પણ પોતે દોરી સંચાર કરતા હોય તેવો સ્પષ્ટ અહેસાસ થાય તેવું વર્તન કરતા હતા.

            તા. ૨ માર્ચ,૨૦૧૨ ના રોજ (કોંગ્રસ વિધાનસભા પક્ષના નેતા) વિરોધપક્ષના નેતા તરીકે મેં વિધાનસભામાં RTI દ્વ્રારા પ્રાપ્ત થયેલા પુરાવાઓ સાથે ગુજરાતના મુખ્યમંત્રી મોદી કેવો ભ્રષ્ટ્રાચાર કરીને માનીતા ઉદ્યોગપતિઓ ને લાભ આપે છે તેની વિગતો રજુ કરવાની શરુઆત કરી ત્યારે સત્તાધારી પક્ષે હોબાળો મચાવીને મને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. વિરોધપક્ષના નેતા તરીકે મારું વર્તન સંપુર્ણ સંસદીય હતુ અને કોઈ અસંસદીય શબ્દો કે સૂત્રચારો કે વેલમાં જવાની કોઈ ઘટના બની ન હતી માટે સ્પીકર વિરોધપક્ષના નેતાને સસ્પેન્ડ કરી શકવા તૈયાર ન થયા ત્યારે મોદી એ પોતાના એક મંત્રી મારફતે પ્રસ્તાવ રજુ કરાવી બીજા મંત્રી પાસે ટેકો મેળવી અને મને વિરોધપક્ષના નેતા તરીકે સમગ્ર  બજેટ સત્ર માટે સસ્પેન્ડ કરવાનું ગેરકાયદેસર કુત્ય કર્યું હતું. ગુજરાત વિધાનસભાના નિયમો મુજબ સ્પીકર ધારાસભ્યને નેમ કરે અને તેમ છતાં ધારાસભ્ય શાંત ન થાય તો તેને બહાર જવાનું કહે અને જો તે બહાર ન જાય તો સ્પીકર કહે તે પછી ધારાસભ્યને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ લાવી શકાય છે. આ સ્પષ્ટ નિયમની જોગવાઈ હોવા છતાં  મોદીએ કાયદા થી વિરુધ્ધ વિરોધપક્ષના નેતા તરીકે મને સસ્પેન્ડ કર્યો હતો. દેશની સંસદમાં પણ ગુજરાતમાં કરેલું અસંસદીય વર્તન શ્રી મોદી કરવા માંગતા હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

            ભૂતકાળમાં ટેલીફોન કૌભાંડના આક્ષેપો માટે શ્રી સુખરામ સામે હોય કે ૨ જી સ્કેમની બાબત હોય કે પછી જેમના સામે કોઈ પણ પુરાવો  ન હતો તેવા નિર્દોષ રેલ્વે મંત્રી શ્રી બંસલના સામે આક્ષેપો હોય તેને લઈ ને ભારતીય જનતા પાર્ટી વિરોધમાં હતી ત્યારે દિવસોના દિવસો સુધી સંસદ ચાલવા દીધી ન હતી. આ પ્રકારની ભાજપની સંસદ ખોરવવાની ચેષ્ટા ને શ્રી અરુણ જેટલીએ એમ કહ્યું હતું કે પાર્લામેન્ટ નહી ચાલવા દેવી એ પણ પાર્લામેન્ટ્રી પ્રેકટીસની એક ટેકટીક છે અને વિરોધપક્ષનો આ અધિકાર છે આજે સત્તામાં આવ્યા પછી આના થી સદંતર વિપરીત ધોરણો રાખવાના? ભૂતકાળમાં એમ કહેવાનું જેના સામે આક્ષેપ છે તે રાજીનામું ન આપે ત્યાં સુધી ચર્ચા નહી જ થાય અને હવે સ્પષ્ટ પુરાવાઓ હોવા છતા ભાજપના મંત્રી અને મુખ્યમંત્રીઓના રાજીનામાં નહી લેવાનો ભાજપનો નિર્ણય પણ મોદીનું ગુજરાત મોડલ છે. ગુજરાતમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરીમાં જેમને નીચેની કોર્ટે સજા કરી દીધી છતાં એક કન્વીટેડ ક્રિમીનલ  મિનિસ્ટરને મોદીએ ગુજરાતના મંત્રી મંડળમાં ચાલુ રાખ્યા હતા. એક ટાડા ડીટેઈનઅને ૩૦૨ ના તોહમતદાર તથા અનેક ગુનાહોમાં સંડોવાયેલા ધારાસભ્યને પણ પોતાના મંત્રી મંડળમાં ચાલુ રાખ્યા હતા. મોદી અને મોરલ ક્યારે સાથે ચાલ્યા જ નથી અને તેજ તેમનું ગુજરાત મોડેલ છે  જેને તેઓ દેશમાં લાગુ કરવા જઈ રહ્યા છે. સ્પીકરનું કામ વિરોધપક્ષને સબક શીખવાડવાનું નથી પરંતુ સત્તાધારી પક્ષને અંકુશમાં રાખવાનું વધારે છે. સ્પીકર સંસદીય પ્રણાલિકાઓ તોડીને ચાલે તે માટે ગુજરાતમાં હંમેશા મોદીએ પ્રયત્ન કર્યા હતા. અને આજ મોડલ કદાચ દેશની સંસદમાં લાગુ કરવા જઈ રહ્યા છે.

            સત્તાધારી પક્ષ સૂત્રોચ્ચાર  કરીને વિરોધપક્ષના સભ્યોને ન બોલવાદે તેવું ક્યારે બનતું નથી પરંતુ ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી થયા પછી આદિવાસીઓના પ્રશ્ને સિનીયર ધારાસભ્ય પોતાની વાત કરતા હતા ત્યારે સત્તાધારી પક્ષના સભ્ય પાસે સૂત્રોચ્ચાર  કરાવીને તેમને મોદીએ બોલવા દીધા ન હતા. આ પણ એક મોદી મોડેલ છે જે કદાચ દેશની સંસદમાં જોવા મળશે.

            ગુજરાતમાં મોદીના શાસનકાળમાં દસ વર્ષમાં સૌથી ઓછા દિવસો વિધાનસભા મળી હતી અને તેમાં વારંવાર કોંગ્રસના ધારાસભ્યશ્રીઓને ગૃહ માંથી  સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. માત્ર દસ વર્ષમાં વિરોધપક્ષના ૨૫૯ ધારાસભ્યોને ગુજરાત વિધાનસભા માંથી જુદા જુદા ઠરાવો થી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

            દેશની સંસદમાં બનેલી આ કલંકિત ઘટનાને દેશની જનતા અને જાગૃત નાગરિકો નહી ઉઠાવેતો આવતા દિવસોમાં લોકશાહીની ઉચ્ચતમ પરંપરાઓનું ગળુ દબાવી દેવાનું કૃત્ય કરતા પણ મોદી અચકાશે નહી.

    ————————————————————————————————-

     

  • Press Note Guj. Dt-01/08/2015

    Click here to view/download press note

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારી યાદી                                                                                                 તા. ૦૧.૦૮.૨૦૧૫      

              ગુજરાતમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ જીલ્લામાં અતિવૃષ્ટિ થી ન કલ્પિ શક્ય તેવું નુકશાન થયું છે. અનેક પશુઓના મુત્યુ થયા છે જે મુત્યદેહોને હજુ સુધી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી. જે ના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત અને કચ્છ ના કેટલાંક ગામો હજુ પણ વાહનવ્યવહાર થઈ શકે તેવા રસ્તાઓ થી પુન: સ્થાપિત કરી શકાયા નથી. કેટલાંક વિસ્તારોમાં હજુ પણ અવિરત વીજળી મળી શકતી નથી અને શુદ્ધ પીવાનું પાણી પણ મળતુ નથી. ખેડૂતોની જમીનમાં ન કલ્પિ શકાય તેવું નુકશાન થયું છે તેમને યોગ્ય વળતર માટેની કોઈ વ્યવસ્થા થયેલી નથી. આ કુદરતી આફતના સમયે સમગ્ર તંત્રએ લોકોની સહાય માટે અડીખમ ઉભા રહેવું જોઈએ તેના બદલે ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકારે સમગ્ર તંત્રને આ સમયે પણ પોતાની પ્રસિદ્ધિ માટે રોકી રાખવાનો પ્રયત્ન કર્યો છે તે આઘાતજનક છે. કોંગ્રસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે માંગણી કરી છે કે, તાત્કાલિક અસર થી પ્રસિદ્ધિઓ માટેના લોકાર્પણો અને વન મહોત્સવ  જેવા ઉત્સવોના કાર્યક્રમો રદ કરીને કુદરતી આફતથી મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદ અને  પુનઃ સ્થાપન માટે સરકારી તંત્ર અને સરકારે યુદ્ધના ધોરણે કામ શરૂ કરવું જોઈએ.

     —————————————————————————————–

     

  • Press Note Guj 30.07.2015

    Click here to view/download press note.

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારી યાદી                                            તા. ૩૦.૦૭.૨૦૧૫

     

           કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિવૃષ્ટિના કારણે ન કલ્પિ શકાય તેટલી તારાજી થઈ છે. રાજ્ય સરકારે બચાવ, રાહત અને પુનઃસ્થાપન માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવાની આવશ્યકતા છે. કચ્છ જીલ્લામાં છેલ્લા ૧૮ વર્ષમાં ન પડ્યો હોય તેવો અતિભારે વરસાદ પડ્યો છે. સરકારે વહેલી આગોતરી જાણ હવામાન ખાતાની આગાહીઓને ધ્યાને લઈ ને જો કરી હોત તો હજારો પશુઓ મુત્યુ પામ્યા તેને પશુપાલકો સલામત સ્થળે ખસેડીને બચાવી શક્યા હોત. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કુદરતી આફતના સમયે રાજકારણ કરવા માંગતો નથી પરંતુ લોકોને પડી રહેલી કેટલીક મુશ્કેલીઓ અંગે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે સરકારનું ધ્યાન દોરીને તંત્ર જાગૃત બની કામગીરી કરે તે માટે અનુરોધ છે. કોંગ્રેસ પક્ષ રાજ્ય સરકારને જો કોઈ જગ્યાએ કાર્યકર્તાઓની ફોજથી પણ મદદરૂપ થવાની જરૂર પડે તો ત્યાં કુદરતી આફતના સમયે પક્ષ મદદરૂપ બનશે.

            કચ્છ જીલ્લાના બન્ની વિસ્તારમાં પશુપાલકોના હજારો પશુઓના મુત્યુ થયા છે આ ઉપરાંત લખપત તાલુકો, નાની બન્ની, અંજાર અને અન્ય કચ્છના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ખુબ મોટા પાયે અતિવૃષ્ટિના કારણે તારાજી થયેલી છે. અનેક ગામો છેલ્લા ત્રણ-ચાર દિવસથી વીજળીથી વંચિત બન્યા છે. ભુતકાળમાં કુદરતી આફતના સમયે સરકારની જાગૃતિના કારણે વીજળી અને પાણી પુરવઠા તેમજ અવર-જવર થઈ શકે તેવા રસ્તાઓ ગુજરાતનું સરકારીતંત્ર તાત્કાલિક બનાવતું હતું. પ્રવતમાન અતિવૃષ્ટિ પછી જે રીતે યુદ્ધના ધોરણે કામગીરી થવી જોઈએ તે નથી થઈ. 

            કચ્છ જીલ્લાના લખપત તાલુકાના ઝૂલરાય તથા આજુ બાજુના ગામો, ગુનેરી તેમજ તેની આજુ-બાજુના ગામો, પીપર તેમજ તેની આજુબાજુના ગામો અને નારાયણ સરોવર કોટેશ્વરની આજુબાજુના સાત ગામો, રોડાસર, મેરડી, વજીરાવાંઢ તેમજ અબડાસા તાલુકાના કેટલાક ગામો કોઈ પણ વાહન ન જઈ શકે તેવી પરીસ્થિતમાં છે. ઘણા બધા ગામોમાં પીવાનું પાણી અને વિદ્યુત જોડાણ પુનઃસ્થાપિત થઈ શક્યું નથી. મુત્યુ પામેલા પશુઓના શબોને તાત્કાલિક યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ જે કામગીરી ખુબજ મંદ રીતે ચાલી રહી છે. કચ્છ જીલ્લાના બન્ની વિસ્તાર અને આજુબાજુમાં જ દસ હાજર કરતા વધારે પશુઓના મુત્યુ થયા છે. જો આ શબોને યોગ્ય રીતે તાત્કાલિક નિકાલ નહી કરવામાં આવેતો ભયંકર રોગચાળો ફાટી નીકળવાનો ભય રહેલો છે.

             સરકારની અસંવેદનશીલતા અને અણધડ  વહીવટનો મોટો નમુનો એ છે કે, કચ્છ જીલ્લામાં અછતનો ભોગ બનેલા વિસ્તારોમાં વરસાદ પડતાની સાથે જ ઘાસનું વિતરણ, ઢોરવાડાની સબસીડી અને રાહતની કામગીરી તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. વરસાદ પડે અને તુરતજ ઘાસ ઉગી નીકળતું નથી પરંતુ ઘાસને ઉગતા ઓછામાં ઓછા પંદર દિવસનો સમય લાગે છે. શ્રી ગોહિલે માંગણી કરી છે કે, અછતગ્રસ્ત વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવા છતાં ક્મસેકમ પંદર થી વીસ દિવસ સુધી ઘાસનું વિતરણ અને ઢોરવાડા શરૂ રાખવાના સરકારે તાત્કાલિક આદેશો કરવા જોઈએ.

            કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઇલેક્ટ્રિકના અનેક થાંભલાઓ પડી ગયા છે અને વીજ પુરવઠો ખોરવાયેલો છે. આ વીજ પુરવઠો પુન:સ્થાપિત થાય તે માટે સરકારે યુદ્ધના ધોરણે કામગીરી કરવી જોઈએ. બનાસકાંઠા જીલ્લાના સુઈગામ, થરાદ તેમજ રાધનપુર તાલુકાના  ગામડી (ગોખાતર), રામપુરા (કોરડા), વાદળીતર, ગરસરી, બિસ્મીલાગંજ, અબીતાણા, પેદાશપુરા, આગિચાણા, લુંણીતાણા, ઇયુંન્ડી, આંતરનેશ, રાણીસર, વાઘપુરા, પરસુંડા, નલિયા, તમાલપુર, રાજુસરા ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના અનેક ગામોમાં હજુ પણ બચાવ, રાહત અને પાણી તથા વીજળીની કામગીરી સરકાર કરી શકી નથી. માત્ર જીલ્લાના થોડાક ભાગોમાં વિડીયોગ્રાફી કરીને કે મુલાકાતો લઈને સરકારે સંતોષ લેવાના બદલે ખરેખર ગ્રામીણ વિસ્તાર અને શહેરના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પુરતી વ્યવસ્થા કરવી જોઈએ.

            પશુપાલકોને મુત્યુ પામેલા પશુઓની સામે તાત્કાલિક સહાય આપવી જોઈએ અને ખેડૂતોની જમીનમાં ન કલ્પિ શકાય તેવું નુકશાન થયું છે ત્યારે સરકારે ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં મર્યાદિત સહાયના બદલે ખરેખર જમીન નવસાધ્ય થઈ શકે તે માટે કોઈ હેક્ટરોની મર્યાદા ન રાખ્યા વગર પૂરેપૂરું વળતર અને સહાય તાત્કાલિક ચુકવવા જોઈએ.       

            કચ્છ જીલ્લામાં કલેકટરશ્રી અને જીલ્લાના તંત્રએ મર્યાદિત સાધનો વચ્ચે પણ પ્રશંસનીય કામગીરી કરી છે તે અભિનંદનને પાત્ર છે.

       ——————————————————————————————

     

  • Press Note Guj 17.07.2015- Ashadhi Bij

    Click here to view/download press note

    શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય

    રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા

     

    અખબારી યાદી                                                  તા. ૧૭.૦૭.૨૦૧૫

     

          કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પ્રવિત્ર અષાઢી બીજ અને કચ્છી માડુઓના નવા વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. કચ્છની ધરતી અને મેઘરાજા વચ્ચેના સબંધોએ મહામુલ્ય છે. શ્રી ગોહિલે જણાવ્યું હતુ કે ઈશ્વરને પ્રાથના કરીએ કે અષાઢી બીજના પ્રવિત્ર દિવસે કચ્છની ધરતી પર મેઘરાજાના અમીછાંટણા થાય અને દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહેલા વિસ્તારોમાં વરસાદના આગમનથી ઘાસ અને પાણીની મુશ્કેલીઓ દુર થાય. આગામી વર્ષ ખેડૂતો અને પશુપાલકો તેમજ કચ્છી માડુઓ માટે સુખ, શાંતિ અને સમૃધ્ધિથી ભરપૂર બની રહે. અષાઢી બીજનું મહત્વ કચ્છી કહેવત “અષાઢી બીજ વંડર કા વીજ” પર થી જ સમજી શકાય છે. અષાઢ મહિનામાં મેઘરાજાના આગમનથી કચ્છની ધરતી સ્વર્ગ સમાન બની જતી હોય છે આ વર્ષે પણ ભરપૂર વરસાદ કચ્છની ધરતી પર આવે અને કચ્છની ધરતી હરિયાળી બને તેવી પ્રભુને પ્રાથના.   

     

    મીઠો અસાંજો કચ્છ,

    મીઠા અસંજા માંડું,

    મીઠી અસાન્જી ગાલીયું,

    અને મીઠી અસાન્જી પ્રીત ,


    હેપી અષાઢી બીજ મડીકે નયે વરેજી વધાયું!!!

     

    ——————————————————————————————

     

  • Letter to CM DT:- 09/07/2015

    Click here to view/download press note.

    એક ખાનગી કંપનીના કાર્યક્રમમાં કચ્છ આવી રહેલા મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલને ખુલ્લો પત્ર લખીને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતુ કે, ગુજરાત રાજ્યની ભૂતકાળની ઉત્તમ પરંપરા હતી કે મુખ્યમંત્રીશ્રી કોઈ પણ જીલ્લાના પ્રવાસે જતા ત્યારે જીલ્લાના ધારાસભ્યશ્રીઓને આગોતરી જાણ કરીને જીલ્લાના પ્રશ્નો માટે ધારાસભ્યશ્રીઓ સાથે મીટીંગ રાખવામાં આવતી હતી. ભાજપનું શાસન આવ્યા બાદ છેલ્લા થોડા વર્ષોથી આ પરંપરાનું અનુસરણ થતુ નથી માટે કચ્છના કેટલાક પ્રશ્નો ખુલ્લા પત્રથી આપના ધ્યાને મુકુ છું.

    (૧)  નર્મદાનું ૧ મીલીયન એકર ફીટ વધારાનું પાણી કચ્છ જિલ્લાને આપવાનું છે. મને સરકારી તંત્ર દ્રારા આપવામાં આવેલી અધિકૃત માહતી મુજબ આ કામના છેલ્લા અંદાજો બન્યા છે તે મુજબ ૫૧૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ છે. આ કામ માટે આપની પક્ષની સરકાર કે જે છેલ્લા ૨૨ વર્ષથી શાસનમાં છે તે બજેટમાં ૧૫% રકમ ફાળવતી નથી. સરકારના નિયમો મુજબ ૧૫% રકમ ન ફળવાય ત્યાં સુધી વહીવટી મંજુરી જ ન મળે જેથી કામ શરૂ જ ન થાય. આમ કચ્છને ૧ મીલીયન એકર ફીટ વધારાનું નર્મદાનું પાણી આપવાનું કામ એક ઇંચ પણ થયેલ નથી. કચ્છ જિલ્લાને નર્મદાના પાણીનો સાચો લાભ તો જ મળે કે જો આ કામ પુર્ણ થાય. માટે આગામી વર્ષે આ કામ માટે બજેટમાં ૭૫૦ કરોડ કરતા વધારે રકમ ફાળવવા વિનંતી છે.

    (૨)   કચ્છ જીલ્લાના લખપત, અબડાસા, નાની બન્ની, મોટી બન્ની જેવા વિસ્તારો સતત દુષ્કાળનો ભોગ બને છે. આ વિસ્તારોના ઘાંસ ડેપો ઉપર પુરતું ઘાંસ નથી ખાસ કરીને વાયોર તથા ફુલાય ડેપો પર સતત તકલીફ રહે છે. તો આ અંગે વ્યવસ્થા થવા વિનંતી છે.

    (૩)  કચ્છ જીલ્લો પશુધન આધરિત જીલ્લો છે માટે ચાર કે પાંચ પશુઓની મર્યાદામાં ઘાંસના કાર્ડ આપવાના બદલે જેટલા પશુ તેટલા કાર્ડ મળવા જોઈએ.

    (૪)  સમગ્ર ગુજરાતને બાવળ કાપીને કોલસો પાડવાની છુટ છે તો પછી કચ્છી માડુઓ માટે જ આપે  મુકેલ પ્રતિબંધ તાત્કાલિક દુર કરવો જોઈએ.

    (૫)  કચ્છમાં આવેલી કંપનીઓ કચ્છના સ્થાનિકને રોજીરોટી આપતી નથી માટે સરકારે સ્પષ્ટ નીતિ  બનાવી તેનો અમલ કરવો જોઈએ.

    (૬)  કચ્છ જીલ્લમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની, આરોગ્ય કેન્દ્રો માં ડોકટરોની, પશુ દવાખાનાઓમાં ડોકટરોની તથા સરકારી તંત્રમાં પુષ્કળ જગ્યાઓ ખાલી છે. કચ્છ માટે અલાયદી વ્યવસ્થાના ભાગ રૂપે કચ્છી ભાષા બોલતા ઉમેદવારોને ૧૦% વધારે માર્કસ આપી સરકારી નોકરીઓમાં ભરતી કરવી જોઈએ.

    (૭)   દરિયાકાંઠાના હવામાનના કારણે PGVCL ની વીજ લાઈનોને ક્ષાર લાગે છે  તેનું મેઈન્ટેનન્સ બરાબર  ન થતું હોવાથી વીજ પુરવઠો વારંવાર ખોરવાય છે માટે વીજ વાયરોનું મેઈન્ટેનન્સ રેગ્યુલર કરવું જોઈએ.

    (૮)  સાંઠગાંઠ ધરાવતા મોટા માથાઓના વાહનો છડે ચોક ઓવરલોડ ચાલે છે તેના સામે કોઈ પગલા  લેવાતા નથી એન નાના ટ્રાન્સપોર્ટરોને પરેશાન કરવામાં આવે છે. ટોલટેક્ષના નામે કચ્છી જનતાને લુંટવામાં આવે છે. રસ્તા બરાબર ણ હોવા છતા લેવાતો ટોલટેક્ષ બંધ થવો જોઈએ.

    (૯)  કચ્છમાં દલિત,બક્ષીપંચ તથા જમીન વિહોણા લોકોને ભૂતકાળમાં સાંથણીની જમીનો અપાયેલ છે આ જમીનો માટે ભરવાની થતી નજીવી રકમ અજ્ઞાનતાના કારણે જે ગરીબ લોકો ભરી નથી શક્યા તેમની જમીન ખાલસા કરવામાં આવે છે તેના બદલે સરકારે વિલંબ માફ કરીને રકમ સ્વિકારી જમીનો તેમના નામે કરવી જોઈએ.

    (૧૦) જે વિસ્તારમાં ખનીજ નીકળે છે તે જ વિસ્તારના લોકોને નોકરી અને કોન્ટ્રેકટના નાના નાના કામોમાં પ્રાધાન્ય આપવું જોઈએ.

    (૧૧) કોઠારા વિસ્તારના ખેડૂતોને તેમના વીજ કનેક્શન માત્ર PGVCL દ્રારા પેન્થર વાયરો નહી નખાવવાથી વીજ કનેક્શન લાંબા સમયથી નથી મળતા તો તંત્રની નબળાઈના કારણે ખેડૂતોને મુશ્કેલી ન પડવી જોઈએ.

    (૧૨) ચુંટણી સમયે નારાયણ સરોવર ખાતે નર્મદાનું પાણી સરોવરમાં બારે માસ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ત્યાર બાદ આ પાણી નારાયણ સરોવર પહોંચ્યુ નથી.

    (૧૩) હિંદુ અને મુસ્લિમ ધર્મના અનેક પુરાતન સ્થળો કચ્છમાં આવેલ છે તેમની જાળવણી અને વિકાસ માટે કંઈ થતુ નથી. તો ખાસ જોગવાઈ કરીને આ કામો થવા જોઈએ.

    (૧૪) કચ્છમાં ફોસીલપાર્ક માટે ખાસ સહાય આપવી જોઈએ.

    (૧૫) પાકિસ્તાનથી આવીને વસેલા પરિવારોના ગામો રેવન્યુ ગામો તરીકે જાહેર  કરવા જોઈએ.

    (૧૬) કચ્છના લોકોના પરિવારિક સબંધો પાકિસ્તાનમાં છે તો તેમને વહેવારિક પ્રસંગો એ જવા આવવા માટે વિસા તથા નાગરિકતાના પ્રશ્નો ઉકેલવા તંત્ર મદદરૂપ બને તેવી ગોઠવણ કરવી જોઈએ.

            મુખ્યમંત્રીશ્રી ખાનગી કંપનીઓ કે અંગત વ્યક્તિઓના માટે જ કચ્છમાં આવે અને સાથે સાથે થોડા સરકારી કાર્યક્રમ કે જેમાં ભાજપનો મેળાવડો હોય તેવા યોજે તેના બદલે કચ્છની જનતાના પ્રશ્નો માટે આવે અને તેને ઉકેલે તે જરૂરી છે. સરકારી કાર્યક્રમોમાં ભૂતકાળમાં હંમેશા ચૂંટાયેલા ધારાસભ્યોને પક્ષાપક્ષીથી ઉપર રહીને માનસન્માન અપાતું હતું. ધારાસભ્યશ્રીઓ ને સરકારી કાર્યક્રમોમાં પ્રજાની વાત મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં કહેવાની તક મળતી હતી. આશા છે કે આ ઉચ્ચ પરંપરા મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પુનઃ શરૂ કરે.

    —————————————————————————————-